કેન્દ્ર સરકારે દવાઓની નિકાસ અંગેની નીતિમાં ફેરબદલ કરીને જે દવાઓની નિકાસ રોકી દેવામાં આવી હતી તેેને હટાવી લેતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી બાદ દવાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, મોદી સરકાર ટ્રમ્પ સામે ઝૂકીને આ નિર્ણય લઈ રહી છે.
મેલેરિયાની દવાની નિકાસ પર પ્રતિબંધ હાટાવવાનો મામલો
શક્તિસિંહે કહ્યું સરકારે અમેરિકા સામે ઝૂકીને દવાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપી હતી ચેતવણી
અમેરિકાને હાઇડ્રોક્લોરોક્વીન દવા આપવાનો મામલો વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર ઉપર નિશાનો સાધતા ટ્રમ્પની ધમકીને કારણે દવા ઉપર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે PM મોદીએ જે ટ્રમ્પ માટે કરોડો ખર્ચ્યા હતા તેમણે જ દવાઓની નિકાસ પર પ્રતિબંધ ન હટાવ્યો તો બદલો લેવાની ધમકી આપી હતી.
ભારત સરકારે નિકાસબંધી હટાવ્યાનો શક્તિસિંહનો દાવો
શક્તિસિંહ ગોહિલનો સરકારે નિકાસબંધી હટાવી છે તે કેમ હટાવી છે જાણો છો? કેન્દ્ર સરકાર અમેરિકા સામે ઝુકી છે અને નિકાસબંધી હટાવી લીધી છે. આપણા ભવિષ્ય માટે દવા પર નિકાસબંધી હતી. મહત્વનું છે કે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કેન્દ્ર સરકાર પર દવાઓ ઉપર નિકાસબંધી હટાવી લેવા મામલે આકરા પ્રહાર કર્યા હતાં.
दवाओं की देश से बहार आपूर्ति बंध थी ।@realDonaldTrump ने धमकी देते कहा है कि भारतीयने दवाओं की आपूर्ति नहीं दी तो बदला लेंगे। हमारे लिए शर्म की बात है ।घुटने टेक दिये, PM @narendramodi जी ने जिन्होंने ट्रम्पके लिए करोड़ो बर्बाद किया था, ने दवाओं के निर्यात पर प्रतिबंध हटा दिया । pic.twitter.com/bACyE5VyO6
ભારતે મલેરિયાના દવા પર આંશિક પ્રતિબંધ હટાવ્યો છે. મેલેરિયાની દવા પર નિકાસના લગાવેલા પ્રતિબંધનો મામલે તુલ પકડી છે. ત્યારે ભારત સરકારે જણાવ્યું હતુ કે, જરુરીયાત મુજબ બીજા દેશને મલેરિયાની દવા આપશે ભારત. મલેરિયાની દવામાં કોરોનાના ઉપચારની સંભાવના છે. કેન્દ્ર સરકારે 24 દવાઓ પર નિકાસ પર લગાવેલો પ્રતિબંધ હટાવ્યો છે.
Central Government has removed restrictions on the export of 12 Active Pharmaceutical Ingredients (APIs) and 12 formulations made from these APIs, with immediate effect: Directorate General of Foreign Trade, Ministry of Commerce and Industry pic.twitter.com/cVRSBm0K0P
અમેરિકી પ્રમુખ ડોમાલ્ડ ટ્ર્મ્પની ચેતવણી બાદ નિર્ણય
ટ્રમ્પની ચેતવણી બાદ ભારત સરકારે દવાઓના નિકાસ પરના પ્રતિબંધ હાટાવ્યા બાદ કહ્યું હતું કે જરુરિયાત મુજબ દવા બીજા દેશને દવા આપશે. માનવતાના મૂલ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું હતું. દેશ માટે જરૂરી જથ્થાના 25 ટકા વધારે રાખીને દવાઓની નિકાસ કરાશે તેમ સરકારે જણાવ્યું હતું.
ટ્રમ્પે આપી હતી ચેતવણી
મહત્વનું છે કે એક દિવસ અગાઉ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે દવાઓના નિકાસ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે વાચતીત થઈ હતી. જો કે ત્યાર બાદ ટ્રમ્પે અમેરિકામાં પોતાના નિવેદનમાં ધમકીના સૂર પૂરાવ્યા હતાં. તેમણે ચેતવણી આપી હતી કે, જો ભારત મેલેરિયાની દવા ઉપરનો નિકાસનો પ્રતિબંધ નહીં હટાવે તો અમેરિકાએ માઠા પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે.