અભિનેતા મુકેશ ખન્નાનું નિવેદન પણ સામે આવ્યું છે, અભિનેતાએ લીન પર નિશાનો સાધતા કહ્યું કે, ' આટલી હિંમત!'આવા ફિલ્મમેકર્સ પર રોક લગાવી જોઈએ.
ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈને રેપની પણ ધમકીઓ મળી રહી છે.
ફિલ્મ 'કાલી' ના પોસ્ટરને લઈને અભિનેતા મુકેશ ખન્નાનું નિવેદન પણ સામે આવ્યું
આ સમયે આપણે હિન્દુઓએ એક થવાની ખાસ જરૂર છે - મુકેશ ખન્ના
ફિલ્મ 'કાલી' (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. તો વળી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ રોકાવાનું નામ નથી લેતો. ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને હજુ પણ વિવાદ છંછેડાયેલો છે. એમની સામે ઘણી જગ્યા પર ફરિયાદ દર્જ થઈ રહી છે અને ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈને રેપની પણ ધમકીઓ મળી રહી છે.
An actor dressed up as a goddess and smoking for a film is not a crime. What BJP’s mercenary does is organised crime. I live in a sovereign country and law enforcement here knows what is crime and what is art. ✊🏽 pic.twitter.com/MRHY6KSuDB
— Leena Manimekalai (@LeenaManimekali) July 9, 2022
આ બધા વચ્ચે ભીષ્મપિતામહ અને શક્તિમાન જેવા રોલ નિભાવનાર અભિનેતા મુકેશ ખન્નાનું નિવેદન પણ સામે આવ્યું છે, અભિનેતાએ લીન પર નિશાનો સાધતા કહ્યું કે, ' આટલી હિંમત!' મીડિયા સામે વાતચીત દરમિયાન અભિનેતાએ એમ પણ કહી દીધું કે આપણે આવા ફિલ્મમેકર્સ પર રોક લગાવી દેવી જોઈએ. બળનો પ્રયોગ ન કરો પણ કઇંક એવું કરો કે જેનાથી આવા ફિલ્મમેકર્સ પર રોક લાગે.
જો હિન્દુ છો તો
આ પહેલા પણ અભિનેતા મુકેશ ખન્નાએ લીના મણિમેકલઈ પર નિશાનો સાધતાં એમના યુટૂયબ ચેનલ પર એક વિડીયો અપલોડ કર્યો હતો. એ વિડીયોમાં લીનાનું નમ લીધા વિના તેના પર નિશાનો સાધ્યો હતો અને કહ્યું હતું કે કોઈ સંસ્કાર નથી કે કોઈ દેશભક્તિ ન્યાત હી. મને નથી ખબર એ હિન્દુ છે કે મુસ્લિમ. પણ જો હિન્દુ છે તો તેને શરમ આવી જોઈએ. લોકો કઈં પણ બોલીને અને બનાવીને નીકળી જાય છે. તમે લક્ષ્મી બોમ્બ અને તાંડવ જેવી ફિલ્મો બનાવો. ફિલ્મમેકરને એક જ લાલચ હોય કે ગમે એમ કરીને ઓસ્કાર મળી જાય પણ એના ચક્કરમાં હિન્દુ ધર્મની સામે મન ફાવે એમ બોલી જાય છે.
फिर मंगलवार आ गया है।हर सप्ताह आएगा। लेकिन वो स्पेशल तब बनेगा जब आप सब एकजुट होकर नज़दीक के मंदिर में शाम ७ से ७.३० बजे तक बैठने की परम्परा शुरू करेंगे !!!
मैं आया हूँ आपको याद दिलाने। https://t.co/baRgp9hUGepic.twitter.com/Ddxe25a7gV
હું આજે પણ કહું છું
અભિનેતાએ આગળ કહ્યું હતું કે આપણે હિન્દુઓએ તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ પણ આપની અંદર એકતા નથી. મે પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહ્યું છું કે મંગળવારે સાંજે સાડા સાત વાગ્યે તમારા નજીકના મંદિર પાસે જઈને ધ્યાન લગાવો. આ સમયે આપણે હિન્દુઓએ એક થવાની ખાસ જરૂર છે.