યસ બેન્કને સંકટથી બહાર કાઢવા માટે રિકન્સ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ અપાઇ રહ્યું છે. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે યસ બેન્કનો ભારતીય સ્ટેટ બેન્ક (SBI) માં વિલય કરવામાં નહીં આવે.
યસ બેન્કને સંકટથી બહાર કાઢવા માટે રિકન્સ્ટ્રક્શન પ્લાનને અંતિમ રૂપ અપાયું
શક્તિકાંત દાસે કહ્યું, એસબીઆઇ તરફથી યસ બેન્કને મદદ કરવામાં આવશે
આરબીઆઇએ 30 દિવસો માટે યસ બેન્ક બોર્ડને સસ્પેન્ડ કરી દીધું
એક ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતચીતમાં શક્તિકાંત દાસે કહ્યું કે યસ બેન્કને લઇને પુનર્ગઠન યોજના (Scheme of Reconstruction) ની જાહેરાત આવનારા સપ્તાહે થઇ શકે છે. શક્તિકાંત દાસે કહ્યું કે યસ બેન્કનો એસબીઆઇમાં વિલયનો કોઇ સવાલ જ નથી ઉઠતો, આ કલ્પનાથી ઉપર છે. તેઓએ કહ્યું કે યસ બેન્કને ફરીથી બેઠી કરવા માટે કેપિટલ મેળવવામાં મદદ કરવામાં આવશે.
તેઓએ કહ્યું કે એસબીઆઇ તરફથી યસ બેન્કને મદદ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઘણા રોકાણકારો પણ સામે આવી શકે છે. નોંધનીય છે કે યસ બેન્કના બોર્ડને આરબીઆઇએ ભંગ કરી દીધો છે અને એસબીઆઇના પૂર્વ અધિકારી પ્રશાંત કુમારની સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આરબીઆઇએ 30 દિવસો માટે યસ બેન્ક બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે અને એક સંચાલક નિમણૂક કરવામાં આવી છે. ખાતાધારકોને એક મહીનામાં માત્ર 50,000 રૂપિયા નીકાળવાની મંજૂરી છે. જ્યારે એસબીઆઇ સીએફઓ પ્રશાંત કુમારની યસ બેન્કના સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જેમની દેશભરમાં 1,000થી વધારે શાખાઓ અને 1,800થી વધારે એટીએમ છે.