સરકારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને આવતા 3 વર્ષો માટે ફરી આરબીઆઈના ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે.
શક્તિકાંત દાસને 3 વર્ષ માટે આરબીઆઈ ગવર્નર બનાવાયા
ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને RBIના નવા ગવર્નર બનાવાયા હતા
ભારતના રાજસ્વ સચિવ અને ઉર્વરક સચિવના રુપમાં પણ કામ કર્યુ છે શક્તિકાંત દાસે
શક્તિકાંત દાસને 3 વર્ષ માટે આરબીઆઈ ગવર્નર બનાવાયા
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મંત્રી મંડળની નિયુક્તિ સમિતિએ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરના રુપમાં શક્તિકાંત દાસનને 10.12.2021થી આગળના 3 વર્ષના સમય માટે અથવા નેક્સ હુકમ સુધી તેમની નિયુક્તિને મંજૂરી આપી છે.
"The Appointments Committee of the Cabinet has approved the reappointment of Shaktikanta Das as Reserve Bank of India Governor for a period of three years beyond 10.12.2021 or until further orders, whichever is earlier," reads an official statement.
ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને RBIના નવા ગવર્નર બનાવાયા હતા
કેબિનેટની નિયુક્તિ સમિતિએ ગુરુવારે મોડી રાતે આ નિર્ણને મંજૂરી આપી. દાસ પહેલા નાણા મંત્રાલયમાં આર્થિક મામલાના સચિવ હતા અને તેમને 11 ડિસેમ્બર 2018માં 3 વર્ષના સમય માટે કેન્દ્રીય બેંકના પ્રમુખના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને ભારતીય રિઝર્વ બેંકના નવા ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કોન છે શક્તિકાંત દાસ -
26 ફેબ્રુઆરી 1957ને જન્મેલા શક્તિકાંત દાસ ઈતિહાસમાં એમએ અને તમિલનાડુ કેડરના આઈએએસ અધિકારી છે. તે નિવૃત્તિ બાદ વર્તમાનમાં ભારતના 15માં નાણા આયોગ અને ભારતના શેરપાજી- 20માં સભ્ય છે. તેમણે ભારતના આર્થિક મામલાના સચિવ ભારતના રાજસ્વ સચિવ અને ભારતના ઉર્વરક સચિવના રુપમાં પણ કામ કર્યુ છે.
કેન્દ્રીય આર્થિક મામલાના સચિવના રુપમાં પોતાના કાર્યકાલ દરમિયાન શક્તિકાંત દાસને ભારતના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક માનવામાં આવતા હતા. આર્થિક મામલાના વિભાગ (ડીઈએ)ના પૂર્વ સચિવ શક્તિકાંત દાસને ગત વર્ષ જી 20માં ભારતના શેરપા નિયુક્ત કરવામાં આવ્યા હતા.
શક્તિકાંત દાસને ડિસેમ્બર 2013માં રસાયન તથા ઉર્વરક મંત્રાલયમાં સચિવ બનાવવામાં આવ્યા પરંતુ મે 2014માં કેન્દ્રમાં ભાજપાની સરકાર બન્યા બાદ તેમને પાછા નાણા મંત્રાલયમાં રાજસ્વ સચિવ બનાવવામાં આવ્યા .