ગુજરાતના કોંગ્રેસી નેતા શક્તિસિંહ ગોહિલને બિહારની સાથે દિલ્હીના વચગાળાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે, શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પીઢ નેતા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સતત ત્રીજી વખત ખરાબ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને એકપણ બેઠક પ્રાપ્ત થઇ શકી નહોતી. ત્યારે હવે ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારની સાથે દિલ્હીના અંતરિમ પ્રભારી તરીકેની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
Congress Interim President Sonia Gandhi accepts resignation of Delhi Congress Chief Subhash Chopra and State Party Incharge PC Chacko. Shakti Sinh Gohil has been appointment interim AICC incharge of Delhi. pic.twitter.com/rzLO70jecW
દિલ્હીમાં ફરી વખત કોંગ્રેસ ન હાંસલ કરી શકી એકપણ બેઠક
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી વખત એકપણ બેઠક મળી નહોતી. એટલે કે કોંગ્રેસ ફરી એકવાર દિલ્હીમાં પોતાનું ખાતું ખોલી શકી નથી. જે બાદ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા અને દિલ્હી કોંગ્રેસના ઇન્ચાર્જ પી.સી.ચાકોએ રાજીનામું આપ્યું હતું. ત્યારે આ સુભાષ ચોપરા અને પીસી ચકોનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીના મંગળવારે થયેલી મતગણતરીમાં એકવાર ફરી ન માત્ર કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા, પરંતુ તેના 67 ઉમેદવારોએ ડિપોઝીટ પણ ગુમાવી દીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, દિલ્હીની 70 બેઠકોમાંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી દીધી છે.
પાર્ટીના માત્ર 3 ઉમેદવાર જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા છે, જેમાંથી બાદલીથી દેવેન્દ્ર યાદવ, કસ્તૂરબા નગરથી કોંગ્રેસના ઉમેદવાર અભિષેક દત્ત અને ગાંધી નગરથી અરવિન્દર સિંહ લવલી સામેલ છે.
2015માં પણ કોંગ્રેસ નહોંતી મેળવી શકી એકપણ બેઠક
નોંધનીય છે કે, 2015માં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ શૂન્ય પર સમેટાઇ ગઇ હતી. એ સમયે આમ આદમી પાર્ટીએ 67 બેઠકો પર જીત નોંધાવી હતી. જ્યારે બીજેપીના ખાતામાં માત્ર 3 બેઠકો જ આવી હતી.