બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન અને શંકાસ્પદ ભારતીય સટ્ટાબાજ દીપક અગ્રવાલ વચ્ચેની ચેટને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે જાહેર કરી હતી. બુકી સાથેની વાતચીતની જાણકારી આપવામાં નિષ્ફળ રહેવા પર આઇસીસીએ શાકિબ પર બે વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. જેમા એક વર્ષનો નિલંબન પ્રતિબંધ સામેલ છે.
શાકિબ અને શંકાસ્પદ ભારતીય બુકી દીપક અગ્રવાલ વચ્ચે થઇ હતી વોટ્સએપ ચેટ
ICCએ શાકિબ પર 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો
શાકિબે અગ્રવાલના આંતરીક સૂચના હાંસલ કરવાની વાત એસીયૂને ન આપી
જાન્યુઆરી 2018, શાકિબને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની હાજરી વાલી ત્રિકોણીય સીરીઝ માટે બાંગ્લાદેશની ટીમ પસંદ કરાયો હતો. આ દરમિયાન તેના અને અગ્રવાલ વચ્ચે વોટ્સએપ પર વાત થઇ.
19 જાન્યુઆરી 2018, શાકિબને એ દિવસે મેચમાં મેન ઓફ ધ મેચ બનવા માટે અગ્રવાલે શુભકામના પાઠવતા વોટ્સએપ પર સંદેશ મોકલ્યો. અગ્રવાલે ત્યારબાદ સંદેશ મોકલ્યો, 'શું આપણે તેમા કામ કરી શકીએ છીએ અથવા હું આઇપીએલ સુધી રાહ જોઉં.'
આ સંદેશમાં 'કામ' કરવાનો સંદર્ભ તેનો અગ્રવાલને આંતરિક સૂચના ઉપલબ્ધ કરાવવાનો હતો. શાકિબે અગ્રવાલના સંપર્કની જાણકારી એસીયૂ અથવા કોઇ અન્ય ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીને ન આપી.
23 જાન્યુઆરી 2018, શાકિબને અગ્રવાલનો વધુ એક વોટ્સએપ સંદેશ મળ્યો જેમા અગ્રવાલે એકવાર ફરી તેને સંપર્ક કરી આંતરિક જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. અગ્રવાલે લખ્યું કે, 'દોસ્ત આ સીરીઝમાં કંઇ થઇ શકે છે?'
શાકિબે પુષ્ટી કરી કે અગ્રવાલે આ સંદેશ તેને હાજર ટ્રાઇએન્ગુલર સીરીઝના સંબંધમાં આંતરિક સૂચના હાંસલ કરવાના આગ્રહની સાથે કર્યો હતો.
શાકિબે અગ્રવાલના આંતરીક સૂચના હાંસલ કરવાની આ આગ્રહની જાણકારી એસીયૂ અથવા કોઇ અન્ય ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીને ન આપી.
એ દિવસે તેને અગ્રવાલનો વધુ એક વોટ્સએપ સંદેશ મળ્યો જેમા એ દિવસે નિશ્ચિત ખેલાડીના રમવા વિશે પૂછવામાં આવ્યું. આ પ્રકારે એકવાર ફરી આંતરીક જાણકારી માગંવામાં આવી.
અગ્રવાલે બિટકોઇન, ડોલર અકાઉન્ટ વિશે વાત કરીને આ ચર્ચાને ચાલુ રાખી અને તેના ડોલર એકાઉન્ટ વિશે જાણકારી માંગી. આ વાતચીત દરમિયાન તેણે અગ્રવાલને કહ્યું કે તે પહેલા તેને મળવા માંગે છે.
26 એપ્રિલ 2018ના આ મેસેજમાં ઘણા ડિલીટ કરવામાં આવેલા સંદેશ પણ સામેલ છે. શાકિબે પુષ્ટિ કરી કે અગ્રવાલે આ ડિલીટ કરેલા સંદેશાઓમાં આંતરીક જાણકારી દેવાનો આગ્રહ કર્યો હતો.
એમણે પુષ્ટી કરી કે અગ્રવાલને લઇને તેમની ચિંતાઓ હતી. લાગતુ હતું કે તે 'દગાખોર' છે. ત્યારબાદ થયેલ વાતચીતમાં તેને અનુભવ થયો કે તે સટ્ટાબાજ હતો.
26 એપ્રિલ 2018ના દિવસે અગ્રવાલના સંપર્ક કરવાની જાણકારી તેણે એસીયૂ અથવા કોઇપણ અન્ય ભ્રષ્ટાચાર વિરોધી અધિકારીને ન આપી.
શાકિબે એસીયૂને જણાવ્યું કે અગ્રવાલના કોઇપણ આગ્રહનો સ્વીકાર નહોતો કરાયો અને ન કોઇ જાણકારી આપી. તેણે કોઇ માહિતી આપી નથી જેના માટે આગ્રહ કરવામાં આવ્યો હતો અને ન અગ્રવાલથી તેણે કોઇ પૈસા અને અન્ય કોઇ ઇનામ લીધુ. જોકે, આ વિશે તેમણે ક્યારેય એસીયૂ અથવા અન્ય સંબંધિત અધિકારીને કોઇ જાણકારી ન આપી.