બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકામાં વસતા ભારતીયોને ઝટકો! ડોનાલ્ડ ટ્રમ્પ સિટિઝનશિપના આ મહત્વના નિયમને કરશે નાબૂદ
Last Updated: 05:54 PM, 11 December 2024
અમેરિકામાં જન્મથી નાગરિકતા ટ્રમ્પ ખતમ કરી શકે છે તેની ભારત પર શું થશે અસર?તે ચર્ચાઓ હવે થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જાન્યુઆરી 2025માં સત્તા સંભાળ્યાના પહેલા જ દિવસે તેઓ બર્થરાઇટ સિટિજનશિપના નિયમને ખતમ કરી દેશે. આનો અર્થ એ થયો કે અત્યાર સુધી અમેરિકામાં જે લોકો જન્મથી અમેરિકન નાગરિકતા મેળવતા હતા, તે નિયમ ચાલુ રહેશે નહીં. ટ્રમ્પના આ નિર્ણયથી લાખો ભારતીયો અને ભારતીય મૂળના લોકોની ચિંતા વધી છે.
ADVERTISEMENT
અમેરિકાની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચાર વર્ષ માટે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. તેઓ 20 જાન્યુઆરી 2025ના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. પરંતુ આ પહેલા પણ તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સત્તા સંભાળવાના પહેલા જ દિવસે કયા મુદ્દાઓ પર પગલાં લેશે.
ADVERTISEMENT
અન્ય દેશોમાંથી કાયદેસર અને ગેરકાયદેસર માધ્યમથી અમેરિકા આવતા લોકોની વધતી સંખ્યા લાંબા સમયથી ચર્ચાનો વિષય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ટ્રમ્પે આ સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. હવે તેણે જાહેર કર્યું છે કે તેઓ બર્થરાઇટ સિટિજનશિપના નિયમને નાબૂદ કરશે. મતલબ કે અમેરિકામાં જન્મેલા લોકોને હવે આપોઆપ નાગરિકતા નહીં મળે. ટ્રમ્પના આ નિર્ણયથી લાખો ભારતીયો અને ભારતીય મૂળના લોકોની ચિંતા વધી ગઈ છે. આખરે આ બર્થરાઈટ સિટિઝનશિપ શું છે અને તેની ભારત પર શું અસર પડશે?
બર્થરાઈટ સિટિઝનશિપ શું છે?
વિશ્વના દરેક દેશમાં નાગરિકતા મેળવવાની અલગ અલગ રીતો છે. ઉદાહરણ તરીકે જો આપણે ભારત વિશે વાત કરીએ તો ભારતીય નાગરિકોના બાળકોને આપોઆપ ભારતના નાગરિક ગણવામાં આવે છે. એ જ રીતે અમેરિકન કાયદો કહે છે કે જે પણ વ્યક્તિ અમેરિકાની ધરતી પર જન્મે છે તેને અમેરિકાનો નાગરિક ગણવામાં આવશે.
ગૃહ યુદ્ધ પછી કોંગ્રેસે જુલાઈ 1868માં 14મા સુધારા હેઠળ અમેરિકામાં નાગરિકતાના નિયમોમાં ફેરફાર કર્યો. બાળકના માતા-પિતા કાયદેસર રીતે કે ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યા હતા તે ધ્યાનમાં લીધા વિના તે સુધારાએ કાળા લોકો સહિત તમામને નાગરિકતાની ખાતરી આપી હતી.
જન્મ સાથે મળતી નાગરિકતાનો ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ કેસ 1898 માં આવ્યો હતો, જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સાન ફ્રાન્સિસ્કોમાં ચાઇનીઝ ઇમિગ્રન્ટ્સના ઘરમાં જન્મેલા વોંગ કિમ આર્ક અમેરિકન નાગરિક હતા. કારણ કે તેનો જન્મ અમેરિકામાં થયો હતો.
ટ્રમ્પને શું વાંધો છે?
ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમોને બકવાસ ગણાવે છે અને તેને નાબૂદ કરવાની હિમાયત કરે છે. આ કાયદો દાયકાઓથી અમલમાં હોવાથી ઘણા દેશોમાંથી લાખો લોકોએ તેનો લાભ લીધો છે અને અમેરિકન નાગરિકતા મેળવી છે. મૂળરૂપે તેની જોગવાઈઓ તે લોકો માટે કરવામાં આવી હતી જેઓ અગાઉ દાસ હતા અને તેમની ભાવિ પેઢીઓને ભારતીય નાગરિકતા આપવાની હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સમર્થકો માને છે કે આ નિયમનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેથી અમેરિકન નાગરિક બનવા માટે નિયમો વધુ કડક બનાવવાની જરૂર છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા.
ભારત પર શું થશે અસર?
તેથી જો ડોનાલ્ડ ટ્રમ્પ આ નિયમોને નાબૂદ કરશે તો લાખો લોકોને તેની અસર થશે. પ્યુ રિસર્ચ અનુસાર લગભગ 48 લાખ ભારતીય-અમેરિકન લોકો તેનાથી પ્રભાવિત થશે કારણ કે તેમાંથી 16 લાખ લોકોનો જન્મ માત્ર અમેરિકામાં જ થયો હતો. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પના આ નવા નિયમોને કારણે આ લોકો હવે અમેરિકાના નાગરિક નહીં રહે. ટ્રમ્પ પણ આ વાત માને છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ નિયમ નાબૂદ થયા બાદ પરિવારો અલગ થઈ જશે અને જેમની પાસે નાગરિકતા નથી તેમને તેમના દેશમાં મોકલી શકાશે.
આ પણ વાંચોઃ NRI / કેનેડામાં ભણવાનું સ્વપ્ન પૂરું થશે! કારણ કે ભારતીયોને થઇ રહ્યો છે આ ફાયદો, જાણો વિગત
અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલની 2011ની ફેક્ટ શીટમાં ચેતવણી આપવામાં આવી હતી કે જન્મસિદ્ધ નાગરિકતા નાબૂદ કરવાથી યુએસ નાગરિકો માટે તેમની નાગરિકતા સાબિત કરવી વધુ મુશ્કેલ બનશે. કારણ કે હાલમાં નાગરિકતા જન્મ પ્રમાણપત્ર દ્વારા જ સાબિત થાય છે. ફૈક્ટશીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ નિયમને રદ્દ કરવાથી લાખો અમેરિકન બાળકો પર અસર થશે અને યુએસ સરકાર માટે વહીવટી બોજ ઊભો થશે.
કયા દેશોમાં બર્થરાઇટના આધારે નાગરિકતા મળે છે?
માત્ર અમેરિકા જ નહીં, લગભગ 30 દેશો એવા છે જ્યાં બર્થરાઇટના આધારે નાગરિકતા આપવામાં આવે છે. કેનેડા, આર્જેન્ટિના, બોલિવિયા, એક્વાડોર, ફિજી, ગ્વાટેમાલા, ક્યુબા અને વેનેઝુએલા જેવા ઘણા દેશો આ અધિકાર આપે છે. જો કે ઘણી જગ્યાએ આ મામલે વધુ કડક છે. ઘણા દેશોમાં નાગરિકતા માટે બાળકના માતાપિતા બંને તે દેશના હોવા આવશ્યક છે. મોટાભાગના કાનૂની નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી બંધારણમાં જ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી આ સુધારામાં ફેરફાર શક્ય નથી. આ માટે કોંગ્રેસ અને રાજ્ય બંનેના સમર્થનની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.