રિયાલિટી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનુ પાત્ર નિભાવનારા અભિનેતા શૈલેષ લોઢાએ થોડા દિવસો પહેલા સીરિયલને અલવિદા કહી દીધુ હતુ, પરંતુ પ્રશંસકો હજી પણ આ જાણવા માંગે છે કે આખરે તેમણે આટલુ લોકપ્રિય સિટકૉમ કેમ છોડ્યુ. હવે અભિનેતાએ તેને લઇને એક હિન્ટ આપી છે.
તારક મેહતાની ખુલશે પોલ
અભિનેતા શૈલેશ લોઢાએ તારક મહેતા છોડવા અંગે આપી હિન્ટ
કહ્યું, સાચો સમય આવશે ત્યારે જણાવીશુ
કઈક તો મજબૂરી રહી હશે: શૈલેષ લોઢા
યુ-ટ્યુબના હાલના ઈન્ટરવ્યુ દરમ્યાન શૈલેશ લોઢાને એક વખત ફરીથી સવાલ પૂછવામાં આવ્યો કે તેમણે આખરે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ કેમ છોડી દીધી. જે અંગે અભિનેતાએ શાયરાના અંદાજમાં કહ્યું, કેટલીક તો મજબૂરીઓ રહી હશે. એમનેમ કોઈ બેવફા ના થાય. શૈલેશે પહેલી વખત એવુ પણ જણાવ્યું કે કેવીરીતે એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા બાદ તેમને તારક અને શો પ્રત્યે પ્રેમ થઇ ગયો હતો.
શૈલેષ લોઢાએ કહ્યું, ભારતીયો ઘણા ભાવુક થાય છે. હું પોતાને સેન્ટિમેન્ટલ મૂર્ખ કહુ છુ. જ્યારે તમે 14 વર્ષ સુધી કઈક કરો છો તો જોડાણ થવુ સ્વાભાવિક છે. તારક પાસેથી તેમણે જે શીખ્યુ તે વિશે વાતચીત કરતા તેમણે કહ્યું, હું એક ઉત્સુક વ્યક્તિ છુ. પરંતુ શોએ મને ધૈર્ય શિખવાડ્યુ.
સાચા સમયે જણાવશે શો છોડવાનુ કારણ
શૈલેશે એવુ પણ શેર કર્યુ કે તેઓ સાચો સમય આવશે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને છોડવાનુ કારણ જણાવશે. મહત્વનું છે કે હવે શોમાં શૈલેષની જગ્યા અભિનેતા સચિન શ્રોફે સંભાળી છે.