બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ અભિનેતા ખૂબ ચર્ચામાં આવ્યાં છે. નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા આર્યન ખાનને ક્રૂઝ પર થયેલી પાર્ટી અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે આર્યન ખાને ઘણાં ખુલાસા કર્યા છે.
પિતા શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને જેલમાં મળ્યાં
પિતાને જોઈ આર્યન ખાન થયો લાગણીશીલ
માતા ગૌરી ખાન પુત્રને બર્ગર ખવડાવવામાં અસમર્થ રહી
પિતાને જોઈ આર્યન ખાન લાગણીશીલ થયો
એનસીબી દ્વારા મોટી કાર્યવાહી કરી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે ડ્રગ્સ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં છે. મહત્વનું છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સતત કરવામાં આવી રહેલી પૂછપરછ બાદ આર્યન ખાન વધુ લાગણીશીલ થઇ ગયો છે. એટલું જ નહીં, એવા અહેવાલ પણ સામે આવી રહ્યાં છે કે આર્યન ખાનને તેના પિતા સાથે મળવાની મંજૂરી આપવામાં આવી. પરંતુ જ્યારે શાહરૂખ ખાન પોતાના પુત્રને જેલમાં મળવા પહોંચ્યા તો આર્યન ખાન તેના પિતાને જોઈને ખૂબ લાગણીશીલ થયો અને રડવા લાગ્યો.
અહેવાલ મુજબ, આર્યન ખાનની માતા ગૌરી ખાન આર્યન માટે બર્ગર લઇને પહોંચી હતી. પરંતુ જેલમાં બહારનું ભોજન કરવુ ગેરકાયદેસર હોય છે, જેથી ગૌરી ખાન પોતાના પુત્રને બર્ગર ખવડાઈ શકી નહોતી. જાણકારી મુજબ, શાહરૂખ ખાન એનસીબી પાસેથી મંજૂરી લઇને પોતાના પુત્ર આર્યન ખાનને મળવા ગયા હતા.