મુંબઇમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે હવે કોરોનાની ઝપેટમાં ફિલ્મી સિતારાઓ પણ આવી ગયા છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થઇ ગયા હતા.
શાહરૂખ ખાને મન્નતને પ્લાસ્ટિકથી કર્યુ કવર
પત્ની અને ત્રણ બાળકો સાથે રહે છે મન્નતમાં
કિંગ ખાને કોરોનાથી બચવા કર્યુ આ કામ
અમિતાભના લીધે એશ્વર્યા, અભિષેક અને આરાધ્યા પણ કોરોના સંક્રમિત થયા હતા જે નાણાવટી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. ત્યારથી જ બોલિવૂડના બીજા લોકો પણ સાવધાની રાખતા નજરે પડી રહ્યાં છે. શાહરૂખ ખાને પણ પોતાની રીતે કોરોનાથી લડવા માટે સજ્જ થઇ ગયા છે.
બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાને પોતાના બંગલાને પ્લાસ્ટિકથી કવર કરી દીધો છે. જે પણ મુંબઇ જાય તે મન્નતને જોવા માટે જાય જ છે હવે તે મન્નત જ પ્લાસ્ટિકમાં કવર થઇ ગયો છે.
તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાન પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે મન્નતમાં રહે છે. શાહરૂખે પોતાની 5 માળની ઑફિસ પણ કોરોના સંક્રમિત દર્દીઓના ઇલાજ માટે બીએમસીને આપી રાખી છે.
ઘણા લોકો એવું પણ કહી રહ્યાં છે કે આ પ્લાસ્ટિક કવર કોરોનાના ડરને કારણે નહી પરંતુ વરસાદના કારણે લગાવવામાં આવ્યા છે. શાહરૂખ ખાનનું આખુ ઘર સફેદ રંગથી રંગાયેલું છે.
જ્યારથી WHOએ કહ્યું છે તે કોરોના વાયરસ હવામાં પણ ફેલાય છે ત્યારથી લોકોએ પોતાના ઘરમાં રહેવાનું જ જરૂરી સમજ્યું છે. હાલમાં શાહરૂખ પોતાના પરિવાર સાથે ઘરમાં ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યાં છે.