પુર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય પ્રવત્ચા સૈયદ શાહનવાઝ હુસૈનને પાર્ટીએ બિહાર વિધાન પરિષદ માટે થનારી પેટા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે. આજે પોતાનું નામાંકન દાખલ કરતા પહેલા તેમણે કહ્યું કે તે રાજ્યમાં પાર્ટી માટે કામ કરવા ઈચ્છે છે. 2 વાર ભાગલપુર લોકસભા સીટથી ભાજપના સાંસદ રહી ચૂક્યા છે. શાહનવાઝ હુસૈન અટલ સરકાર દરમિયાન કેન્દ્રમાં મંત્રી પણ રહી ચુક્યા છે. રાજનીતિક બેડામાં શાહનવાઝ હુસૈનને વિધાન પરિષદના ઉમેદવાદ જાહેર કરવા માટે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
ભાજપે કોઈ મુસ્લિમ ચહેરાને ટિકીટ નહોંતી આપી તો
પાર્ટી માટે કામ કરતા રહેશે
...તો તે 3 વર્ષ સુધી એમએલએ બની રહેશે.
અલગ અલગ ક્યાસ
કેટલાક લોકો આને તેમના કદ સાથે જોડીને જોઈ રહ્યા છે કે આ શાહનવાઝ હુસૈનના કદને નાનું કરવાનો પ્રયાસ છે. પરંતુ બીજી તરફ અનેક લોકો એવા પણ છે જેમને લાગે છે કે ફાઈનલી શાહનવાઝ હુસૈનનો રાજનીતિક વનવાસ ખતમ થઈ ગયો અને હવે નીતિશ કેબેનેટમાં તેમને મોટી જવાબદારી મળી શકે છે. બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે કોઈ મુસ્લિમ ચહેરાને ટિકીટ નહોંતી આપી તો તેવામાં આ સંભાવના છે કે ક્યાંક ભાજપ તેમને વિધાન પરિષદના સભ્ય બનાવીને મુસ્લિમ ચહેરાના રુપે તો રજુ નથી કરી રહીને.
2 સીટો છે ખાલી
બિહાર વિધાન પરિષદની 2 સીટો છે હવે જોવાનું એ છે કે હુસૈનને કઈ સીટ પરથી ઉમેદવાર બનાવાય છે. પહેલી સીટ છે વિનોદ નારાયણ ઝાની જે મધુબનીના બેનીપટ્ટીથી ધારાસભ્ય બની ચૂક્યા છે અને બીજી સુશીલ મોદી જેમને પાર્ટીએ રાજ્યસભા મોકલી ચૂકી છે. સુશીલ મોદીનો કાર્યકાલ 2014 સુધીનો છે. જો હુસૈન આ સીટથી નામાંકન ભરે છે તો તે 3 વર્ષ સુધી એમએલએ બની રહેશે.
જમ્મુ કાશ્મીરમાં સ્થાનિય ચૂંટણીમાં હુસૈનને મોટી જવાબદારી સોંપાયી હતી
ભાજપ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલી હાલની સ્થાનિય ચૂંટણીમાં શાહનવાઝ હુસૈનને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેમને ઘાટીમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને જનસભાઓમાં ઠીકઠાક ભીડ ઉમડી હતી. ચૂંટણીના પરિણામો ભાજપને ખુશ કરનારા હતા. ત્યારે સરકાર હુસૈનને આનું જ ઈનામ તો નથી આપી રહી હોવાની પણ ચર્ચા છે.
પાર્ટી માટે કામ કરતા રહેશે
હુસૈને પીટીઆઈને કહ્યું કે શનિવારે કેન્દ્રીય નેતૃત્વનો ફોન આવ્યો હતો. જેના પર મે કહ્યું કે જો પાર્ટી ભાગલપુર જિલ્લાધ્યક્ષ પણ બનાવે છે તો તેઓ સહર્ષ સ્વીકાર કરે છે અને કાર્યકર્તા તરીકે કામ કરે છે. હુસેને કહ્યું કે ગત દિવસોમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતુ કે જો 10 વર્ષમાં કોઈ કામ નહીં આપો તો તેઓ પાર્ટી માટે કામ કરતા રહેશે.