શાહિદ કપૂર ટૂંક સમયમાં પોતાના ફેન્સ માટે ‘કબીર સિંહ’ લાવી રહ્યો છે. ઘણા સમયમાં ગેપ પછી શાહિદ ફરી એકવખત આ ફિલ્મથી મોડા સ્ક્રીન પર જોવા મળશે. શાહિદ ઘણી ફિલ્મોમાં ચૉકલેટી બોયના કેરેક્ટરમાં જોવા મળી ચૂક્યો છે. શાહિદે એક ઇન્ટરવ્યૂમાં પણ પોતાની અંદર રહેલા ચુલબુલાપણાનો પરિચય આપતા એક એવા સવાલનો જવાબ આપી દીધો કે, ફેન્સ દંગ રહી ગયા.
રિપોર્ટ્સ અનુસાર, શાહિદને પૂછવામાં આવ્યુ કે, ''જો તે ઇન્વિન્ઝિબલ થઇ જાય તો તેને શાવર લેતા જોવા માંગીશ.''
શાહિદે કહ્યુ કે, જો આવુ થાય તો મારે કોઇ છોકરીને જ શાવર લેતા જોવી જોઇએ, નહીંતર મારી આ શક્તિ બેકાર થઇ જશે. શાહિદ કહે છે કે, ''જો હું ઈન્વિન્ઝિબલ બની જાઉં તો મને સ્કારલેટ જ્હોન્સન ખૂબ જ સારી લાગે છે અને કદાચ તે હોઇ શકે જેને હું શાવર લેતો જોવા માગીશ''
અન્ય એક ઈન્ટરવ્યુમાં શાહિદે કબુલ્યું હતું કે, તેને સ્કારલેટ જ્હોન્સન પર ક્રશ છે. એક વખત કરણ જોહરના શોમાં પણ શાહિદે સાથે સ્કારલેટ અંગે ચર્ચા થઇ હતી. આ દરમિયાન શાહિદને પૂછવામાં આવ્યુ હતુ કે, એવી અફવા વિશે જણાવ કે, તુ પોતે ઇચ્છતો હોય કે ફેલાય. એવામાં શાહિદે કહ્યુ કે, સ્કારલેટનું તેના કારણે બ્રેકઅપ થઈ જાય. ''હું ઈચ્છું છું કે, મારા કારણે તેના લગ્ન તૂટી જાય.''
આ વીડિયો ઘણા જૂના છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. શાહિદ અને મીરાં રાજપૂતના 7 જુલાઈ 2015ના રોજ લગ્ન થયા હતા અને મેરેજ લાઇફમાં ખૂબ ખુશ દેખાઇ રહ્યા છે. ચાર વર્ષના લગ્ન પછી તેમને 2 બાળકો છે, જેમાં દિકરી મીશા અને દિકરો ઝેન છે.