મુંબઇ: છેલ્લા એક સપ્તાહથી બોલીવુડમાં એ વાતને લઇને ચર્ચા થઇ રહી હતી કે અભિનેતા શાહિદ કપૂર પેટના કેન્સરથી પીડિત છે. જો કે આ વાત જ્યારે ખુલીને સામે આવી ત્યારે શાહિદના પરિવાર અને કેટલાક નજીકના લોકોએ આ વાતને અફવા ગણાવી પરિવારના લોકો આવા સમાચારથી નારાજ અને ડિસ્ટર્બ પણ થયું. હવે શાહિદે પણ પોતાના સોશિયલ હેન્ડલ ટ્વિટર દ્વારા પોતાના પ્રશંસકોને કહ્યું કે કોઇ પણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ના કરો એ બિલકુલ સ્વસ્થ છે.
શાહિદે ટ્વિટ કર્યું 'હું એકદમ સ્વસ્થ છું અચાનક આવેલી બીમારીથી વાતો પર વિશ્વાસ ના કરો' શાહીદના નજીકના મિત્ર એ પ્રશ્ન કરતાં કહે છે કે લોકો કંઇ પણ કેવી રીતે લખી શકે છે? આ પ્રકારના સમાચારનો આધાર શું છે? આ પ્રકારની અફવાઓ પર કોને જવાબદાર કહેવામાં આવી શકે છે.
Guys I’m totally fine pl don’t believe random stuff.
થોડાક દિવસો અગાઉ પેટની ખતરનાક બીમારીની ચપેટમાં અભિનેતા ઇરફાન ખાન સોનાલી બેન્દ્રે ઋષિ કપૂર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા અને નવાઝુદ્દીન સિદ્દીકીની બહેન પણ આવી. હાલ આ તમામ ખતરાથી બહાર છે.
શાહિદ હાલ પોતાની આવનારી ફિલ્મ 'કબિર સિંહ'ના શૂટિંગમાંવ્યસ્ત છે. આ ફિલ્મ તેલુગુની 'અર્જુન રેડ્ડી'નું હિંદી રિમેક છે.