શાહિદ આફ્રીદીની દીકરીએ ભારતનો ઝંડો લહેરાવ્યો હતો તેના પર આફ્રીદીએ કહ્યું કે મેચમાં માત્ર 10 ટકા પાકિસ્તાની ફેન્સ જ હતા.
શાહિદ અફ્રીદીની દીકરીએ લહેરાવ્યો હતો ભારતનો ઝંડો
મેચમાં માત્ર 10 ટકા પાકિસ્તાની ફેન્સ હતા - શહીદ આફ્રીદી
ભારત વિરોધી નિવેદનને લઈને ચર્ચામાં રહે છે શાહિદ આફ્રીદી
શાહિદ અફ્રીદીની દીકરીએ લહેરાવ્યો હતો ભારતનો ઝંડો
પાકિસ્તાનનાં પૂર્વ કપ્તાન અને દુનિયાના સૌથી ઘાતક ઓલરાઉન્ડરમાંના એક શાહિદ આફ્રીદીનો વિવાદો સાથે જુનો સંબંધ છે. આફ્રીદી હંમેશા ભારત વિરોધી નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે, પણ આ વખતે તેમણે એક એવું નિવેદન આપ્યું છે, જેણે સૌને વિચારતા કરી દીધા છે. આફ્રીદીએ ખુલાસો કર્યો છે કે એશિયા કપ 2022નાં સુપર 4માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન તેમની દીકરીએ પાકિસ્તાનને બદલે ભારતનાં ઝંડાને લહેરાવ્યો હતો.
શાહિદ આફીદીનો ખુલાસો
શાહિદ આફ્રીદીએ પાકિસ્તાની ટીવી ચેનલ પર જણાવ્યું કે સ્ટેડીયમમાં પાકિસ્તાનનાં માત્ર 10 ટકા ફેન્સ હતા જ્યારે 90 ટકા ફેન્સ ભારતના હતા. તેમણે કહ્યું કે હા મને જાણ થઇ કે ત્યાં ભારતીય ફેન્સ વધારે હતા. મારી ફેમીલી ત્યાં હતી. મારી વાઈફ જણાવી રહી હતી કે માત્ર 10 ટકા ત્યાં પાકિસ્તાની હતા, બાકી 90 ટકા ભારતીયો હતા. ત્યાં સુધી કે ત્યાં પાકિસ્તાની ઝંડાઓ ન હોતા મળી રહ્યા તો મારી નાની દીકરી ઇન્ડીયાનો ઝંડો હાથમાં લઈને લહેરાવી રહી હતી. મારી પાસે વિડીયો આવ્યા છે. હું વિચારી રહ્યો હતો કે ટ્વીટ કરું પણ પછી મેં વિચાર્યું કે ચાલો છોડો.
આફ્રીદીનો વિવાદો સાથે જુનો સંબંધ
શાહિદ આફ્રીદી હંમેશા ભારત વિરોધી નિવેદનોને લઈને ચર્ચાઓમાં રહે છે. શાહિદ આફ્રીદી પોતાની ઉંમરને લઈને ઘણા વિવાદોમાં રહે છે. વર્ષ 2019માં આફ્રીદીએ પોતે ખુલાસો કર્યો હતો કે 1996માં શ્રીલંકા સામે 37 બોલમાં સદી ફટકારતા સમયે તેઓ 16 વર્ષના ન હતા, જ્યારે ICC અનુસાર, આફ્રીદીનો જન્મ 1 માર્ચ 1980માં થયો હતો. જણાવી દઈએ કે અમુક મહિનાઓ પહેલા તો શાહિદ આફ્રીદીએ ભારતને પાકિસ્તાનનો દુશ્મન દેશ પણ ગણાવ્યો હતો.