પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી અત્યારે વિવાદોમાં ઘેરાઈ ગયો છે. હાલમાં જ તેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કાશ્મીર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે. જે બાદ ભારતમાં આફ્રીદીની આકરી ટીકા કરવામાં આવી હતી.
શાહિદ આફ્રિદી વિવાદોમાં ઘેરાયો
કાશ્મીર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી આવી ટિપ્પણી
હવે પીએસએલમાં કાશ્મીર ટીમ જોડવાની કહી વાત
હવે આફ્રિદીનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ફરી વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યો છે. આફ્રિદી આ વીડિયોમાં કહી રહ્યો છે કે, 'હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કહેવા માંગુ છું કે તેઓ જ્યારે આગામી સમયમાં પીએસએલ (પાકિસ્તાન સુપર લીગ)નું આયોજન કરે તો એક નવી ટીમ 'કાશ્મીર' પણ તેમાં સામેલ કરે. હું મારા આ ટીમનો કેપ્ટન બનીશ. હું પીસીબીને વિનંતી કરું છું કે હવે પછીની ફ્રેન્ચાઇઝી 'કાશ્મીર' હોય.
— Ghulam Abbas Shah (@ghulamabbasshah) May 16, 2020
હરભજનએ કહ્યું હતું 'લિમિટમાં રહો'
પૂર્વ ભારતીય ક્રિકેટરો યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ આ મુદ્દે આફ્રિદી પર કટાક્ષ કર્યો હતો. યુવરાજે કહ્યું હતું કે, તે આફ્રિદીનું સમર્થન નહીં કરે. જ્યારે, હરભજને આફ્રિદીને લિમિટમાં રહેવા કહ્યું હતું. આ બંને ક્રિકેટરોએ માર્ચમાં શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કર્યો હતો, જે કોરોના વાયરસ સંકટમાં પાકિસ્તાનીઓને મદદ કરી રહ્યા હતા.
મુલતાનની ટીમનો ભાગ હતા
આફ્રિદી પીએસએલ 2020માં મુલતાન સુલતાનનો ભાગ હતો. તેણે એમ પણ કહ્યું કે, તે પ્રતિભાશાળી ખેલાડીઓને કરાંચી લઇ જઈને ટ્રેનિંગ આપવા તૈયાર છે.
પ્રેક્ટિંસમાં મદદ
આફ્રિદીએ કહ્યું, અહીં એક સ્ટેડિયમ અને એક ક્રિકેટ એકેડમી હોવી જોઈએ. હું કરાચીથી અહીં આવીને એકેડમીને મદદ કરવા માટે તૈયાર છું. મેં સાંભળ્યું છે કે, અહીં 125 ક્લબ છે, એક ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ. હું મેચ જોવા આવીશ. જે ખેલાડીઓ અહીં સારું પર્ફોમ કરશે તેઓ કરાચી આવીને મારી સાથે પ્રેક્ટિસ કરી શકે છે. હું તેમના અભ્યાસનું પણ ધ્યાન રાખીશ.