પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન શાહિદ આફ્રિદી પહેલા પણ કાશ્મીર વિવાદને લઇને ભારત પર હુમલા કરી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમણે પોતાના દેશની સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
ઇંગ્લેન્ડ સ્થિત હાઉસ ઓફ કોમન્સમાં શાહિદ આફ્રિદીએ કહ્યું કે પાકિસ્તાનને કાશ્મીરના વિષય પર ન વિચારવું જોઇએ. પાકિસ્તાન પોતે 4 ક્ષેત્ર બરોબર નથી સંભાળી શકતું. આફ્રિદીનો આ વીડિયો વાયરલ પણ થયો હતો.
આફ્રિદીએ કહ્યું પાકિસ્તાનથી તેમના વિસ્તારો નથી સંભાળાતા. તેઓ કાશ્મીર શું સંભાળશે. કાશ્મીર કોઇ મુદ્દો નથી. જે લોકો અહીં પર રહે છે. હું કહું છું પાકિસ્તાનને નથી જોઇતું કાશ્મીર. ભારતને પણ ન આપો. કાશ્મીર અલગ દેશ બને. ઓછામાં ઓછી માણસાઇ તો જીવીત રહે.
જે માણસો મરી રહ્યા છે તેવું તો ન થાય. કાશ્મીર પાકિસ્તાનને પણ નથી જોઇતું. કાશ્મીરને પોતાનામાં રહેવા દો. પોતાનું રહેવા દો. માણસાઇ મોટી વસ્તુ છે જે લોકો ત્યાં મરી રહ્યા છે તેઓ કોઇ પણ ધર્મના હોય. તકલીફ થાય છે માણસ તરીકે...