પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કહ્યું કે પાકિસ્તાનની ટીમમાં હાર્દિક પંડ્યા જેવા ફિનીશરની ખોટ છે.
શાહિદ આફ્રીદીએ કહ્યું પાકિસ્તાન પાસે હાર્દિક પંડ્યા જેવો ફિનીશર નથી
પાકિસ્તાનના મિડલ ઓર્ડરનાં બેટ્સમેનોમાં સાતત્યની ખોટ તરફ પણ કર્યો ઈશારો
હાર્દિક પંડ્યાએ ઈજા બાદ કરી શાનદાર વાપસી
શાહિદ આફ્રીદીએ કહ્યું પાકિસ્તાન પાસે હાર્દિક પંડ્યા જેવો ફિનીશર નથી
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રીદીએ કહ્યું કે હાલના સમયમાં પાકિસ્તાનની ટીમમાં હાર્દિક પંડ્યા જેવા ફિનીશરની જરૂર છે. તેમણે પાકિસ્તાનના મિડલ ઓર્ડરનાં બેટ્સમેનોમાં સાતત્યની ખોટ તરફ પણ ઈશારો કર્યો અને આવતા મહીને ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા સુધારાની પણ વાત કરી.
હાર્દિકે ઈજા બાદ શાનદાર વાપસી કરી છે અને હાલમાં જ ખુદને ટી20નાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક સાબિત કર્યા છે. હાર્દિક પંડ્યા એશિયા કપ 2022માં માત્ર 50 રન જ બનાવી શક્યા, પણ છેલ્લી ઓવરમાં ભારતને જીત અપાવવા માટે ગ્રુપ મુકાબલામાં પાકિસ્તાન સામે તેમણે 17 બોલમાં 33 રન બનાવ્યા. તેમણે ઓસ્ટ્રેલીયા સામે ભારતને 2-1થી સીરીઝ જીતાડવા માટે પણ જરૂરી રન બનાવ્યા છે.
પાકિસ્તાનના મિડલ ઓર્ડરનાં બેટ્સમેનોમાં સાતત્યની ખોટ તરફ કર્યો ઈશારો
પાકિસ્તાન હાલમાં જ એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકા સામે હારી ગયું અને વર્તમાનમાં ઘરમાં ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી 7 મેચોની ટી20 સીરીઝમાં 2-2થી બરાબરી પર છે. આફ્રિદીને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનની હાલની ટીમમાં હાર્દિક જેવા ફિનીશરની ખોટ છે, તો તેમણે આના પર સહેમતી વ્યક્ત કરી. તેમણે એ વાત પર પણ પ્રકાશ ફેંક્યો કે સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાન સહીત પાકિસ્તાની ક્રિકેટરોમાં સાતત્યની ખોટ છે.
હાર્દિક પંડ્યાએ ઈજા બાદ કરી શાનદાર વાપસી
શાહિદ આફ્રીદીએ ટીવી શોમાં કહ્યું કે આ પ્રકારનો ફિનીશર અમારી પાસે નથી. અમે વિચાર્યું હતું કે આસિફ અલી અને ખુશદિલ સારું કરશે, પણ તેમણે એમ ન કર્યું. નવાઝ પણ એટલા સક્ષમ નથી કે નથી શાદાબ. આ ચાર ખેલાડીઓમાં ઓછામાં ઓછા બેમાં સાતત્ય હોવું જોઈએ. શાદાબ જે સમયે બોલિંગ કરે છે, તે ખૂબ જ મહત્વનો છે. જે દિવસે તેઓ બોલિંગ સારી કરે છે, પાકિસ્તાન જીતી જાય છે.