પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ અફરીદીએ કનેરિયાએ પોતાના પર લગાવેલા આરોપોનો જવાબ આપતા ભારતને દુશ્મન દેશ જણાવ્યો. જાણો વિગતવાર
પાકિસ્તાનનાં પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ ભારતને દુશ્મન દેશ જણાવ્યો
કનેરિયાએ લગાવ્યો હતો પોતાને હિંદુ હોવાને લીધે હેરાન કરવાનો આરોપ
શાહિદ આફ્રિદીએ કનેરિયાનાં આરોપોને નકાર્યા
પાકિસ્તાનનાં પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીએ ભારતને દુશ્મન દેશ જણાવ્યો
શાહિદ આફ્રિદીને તેમના ભડકાઉ નિવેદનોને કારણે ઓળખવામાં આવે છે. અફરીદી કંઈકને કંઈક એવું કહી દે છે, કે મોટેભાગે વિવાદ ઉભો થઇ જાય છે. પાકિસ્તાનના પૂર્વ કપ્તાને એક વાર ફરી કંઈક આવું જ કર્યું છે. આફ્રિદીએ દાનિશ કનેરિયાનાં આરોપોનો જવાબ આપતા ભારતને દુશ્મન દેશ જણાવ્યો છે.
કનેરિયાએ લગાવ્યો હતો પોતાને હિંદુ હોવાને લીધે હેરાન કરવાનો આરોપ
શાહિદ આફ્રિદીએ કહ્યું કે કનેરિયા મારા પર ખોટા આરોપો લગાવે છે, તે પૈસા માટે આ બધું કરે છે. જણાવી દઈએ કે આફ્રિદી પર કનેરિયાએ આરોપ લગાવ્યો હતો કે હિંદુ હોવાને કારણે તેમને હેરાન કરવામાં આવ્યા હતા. આફ્રિદી પર તેમણે ધર્મ પરિવર્તનનાં દબાણનો પણ આરોપ લગાવ્યો હતો.
કનેરિયાને જવાબ આપતા આફ્રિદીએ કહ્યું કે મેં કનેરિયાને હંમેશા ભાઈ જ સમજ્યો છે. હું તેમની સાથે ઘણા વર્ષો રમ્યો. જો મારો વ્યવહાર ખરાબ હતો તો તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મારી ફરિયાદ કરવી જોઈતી હતી.
શાહિદ આફ્રિદીએ કનેરિયાનાં આરોપોને નકાર્યા
શાહિદ આફ્રિદીએ આગળ કહ્યું કે દાનિશ કનેરિયા પાકિસ્તાનનાં દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે, જે ધાર્મિક ભાવનાઓને ભડકાવી શકે છે.આફ્રિદી મોટેભાગે ભારત - પાકિસ્તાનવચ્ચે મેચની વકાલત કરે છે પણ હવે તે જ દેશને દુશ્મન જણાવી રહ્યા છે.
કનેરિયાનો જવાબ
India is not our enemy. Our enemies are those who instigate people in the name of religion.
આફ્રિદીનાં આ નિવેદન પર કનેરિયાએ ટ્વીટ કર્યું કે ભારત આપણું દુશ્મન નથી. આપણા દુશ્મન એ લોકો છે, જે ધર્મનાં નામ પર લોકોને અલગ કરે છે. આગળ કનેરિયાએ લખ્યું કે જો તમે ભારતને પોતાનો દુશ્મન માનો છો, તો ક્યારેય કોઈ ભારતીય ચેનલ પર ન જતા. જ્યારે મેં દબાણપૂર્વક ધર્મ પરિવર્તન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે મને ધમકી મળી હતી કે મારી કરિયર નષ્ટ કરી દેવામાં આવશે.
જણાવી દઈએ કે દાનિશ કનેરિયાએ પહેલા પણ ઘણા પાકિસ્તાની ક્રિકેટરો પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે પીસીબી પર પણ ભેદભાવનાં આરોપો લગાવ્યા છે. 2009માં સ્પોર્ટ ફિક્સિંગનાં આરોપમાં કનેરિયા પર બેન લાગ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનનાં ઘણા ખેલાડીઓ ફિક્સિંગમાં ફસાયા અને પીસીબીએ તેમને માફ પણ કર્યા હતા.