પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રીદીએ વિરાટ કોહલીને યોગ્ય સમયે સન્યાસ લેવાની સલાહ આપી છે, જેના પર અમિત મિશ્રાએ ટ્વીટર પર જવાબ આપ્યો છે.
શાહિદ આફ્રીદીએ આપી વિરાટ કોહલીને યોગ્ય સમયે સંન્યાસ લેવાની સલાહ
ક્રિકેટર અમિત મિશ્રાએ ટ્વીટર પર આપ્યો જવાબ
કોહલીએ એશિયા કપમાં ફટકારી હતી પોતાની 71મી સદી
શાહિદ આફ્રીદીએ આપી વિરાટ કોહલીને યોગ્ય સમયે સંન્યાસ લેવાની સલાહ
પાકિસ્તાનનાં પૂર્વ કપ્તાન શાહિદ આફ્રીદીએ ટીમ ઇન્ડિયાનાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને યોગ્ય સમયે સન્યાસ લેવાનો આગ્રહ કર્યો છે. આફ્રીદીએ કહ્યું કે તેમને આશા છે કે વિરાટ કોહલીએ જે પ્રકારે પોતાની કરિયરની શરૂઆત કરી હતી, તે જ પ્રકારે તેનું સમાપન પણ કરશે. આફ્રીદીએ કહ્યું કે કોહલીએ એ સમયે રીટાયરમેન્ટ લેવું જોઈએ, જે સમયે તેમની કરિયર ટોપ પર હોય.
શાહિદ આફ્રીદીએ કહ્યું કે એ લેવલ પર ન પહોંચવું જોઈએ જ્યાંથી તમારે ટીમમાંથી ડ્રોપ કરવું પડે. આમ કરવાને બદલે જયારે તમે તમારી ચરમ પર હોવ, ત્યારે રીટાયરમેન્ટની ઘોષણા કરવી જોઈએ. જોકે, કદાચ જ ક્યારેક આમ થાય છે. ખૂબ જ ઓછા ખેલાડીઓ, વિશેષ રૂપથી એશીયાઇ દેશોનાં ક્રિકેટરો આવો નિર્ણય લઇ શકે છે, પણ મને લાગે છે કે જ્યારે વિરાટ આમ કરશે તો તેઓ સારી રીતે કરશે અને સંભવતઃ પોતાની કરિયરનો અંત એ જ પ્રકારે કરશે જે પ્રકારે તેમણે કરિયરની શરૂઆત કરી હતી.
તેમણે આગળ કહ્યું કે વિરાટે જે પ્રકારે ક્રિકેટ રમ્યું છે અને પોતાની કરિયરની શરૂઆત કરી હતી, તેમણે સંઘર્ષોને પાર કર્યા હતા અને ખુદનું નામ બનવતા પહેલાં સખત મહેનત કરી હતી. તેઓ એક ચેમ્પિયન છે અને મારું માનવું છે કે એક સ્ટેજ આવે છે જ્યારે તમે રીટાયરમેન્ટ તરફ આગળ વધો છો. આ પ્રકારના સ્ટેજ પર ખેલાડીનો ટારગેટ ઊંચાઈ પર રહીને સમાપન કરવાનો હોય છે.
ક્રિકેટર અમિત મિશ્રાએ ટ્વીટર પર આપ્યો જવાબ
શાહિદ આફ્રીદીની સલાહ પર ટીમ ઇન્ડીયાનાં ક્રિકેટર અમિત મિશ્રાની પણ કોમેન્ટ આવી છે. એક ટ્વીટને રીટ્વીટ કરતા અમિત મિશ્રા લખે છે કે પ્રિય, આફ્રીદી, અમૂક લોકો માત્ર એક વાર સન્યાસ લે છે એટલા માટે કૃપા કરીને વિરાટ કોહલીને આ બધી વસ્તુઓથી અલગ રહેવા દો.
કોહલીએ એશિયા કપમાં ફટકારી હતી પોતાની 71મી સદી
ટી20 ક્રિકેટમાં કોહલીની જગ્યા પર સવાલ ઉઠી રહ્યા હતા કેમકે વર્ષ ૨૦૨૨માં ખેલનાં આ સૌથી નાના ફોર્મેટમાં એક ખરાબ સમયનો પણ કોહલીએ સામનો કરવો પડ્યો હતો. આઈપીએલ 2022માં જ્યાં કોહલીની એવરેજ 25 કરતા ઓછી હતી, ત્યારે આ વર્ષે પોતાની શરૂઆતી 4 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં તેમણે માત્ર ૮૧ રન બનાવ્યા હતા. જોકે, કોહલીએ બ્રેકનો વિકલ્પ પસંદ કર્યો હતો અને ભારતનાં વેસ્ટઇન્ડીઝ અને ઝીમ્બાબ્વેનાં પ્રવાસને મિસ કર્યો હતો.