ખેડૂતોના આંદોલન મુદ્દે વિદેશી દુષ્પ્રચારનો ભારતના સિતારાઓએ એક સૂરે વિરોધ કર્યો છે ત્યારે ઘણા વિપક્ષી નેતાઓએ તેનો વિરોધ પણ કર્યો છે.
ગ્રેટા થનબર્ગ અને રિહાનાએ કરી હતી ટ્વિટ
ભારતના સિતારાઓએ એક સૂરે કહ્યું ભારત એક છે અને આ આંતરિક મામલો છે
શશી થરૂરે કહ્યું આ બધુ શરમજનક
ખેડૂતોના આંદોલન મુદ્દે રિહાના જેવી અમુક વિદેશી હસ્તીઓએ પ્રતિક્રિયા આપી રહી છે ત્યારે ભારતીય સુપરસ્ટાર અને ખેલજગતના ઘણા સ્ટાર્સે ટ્વિટ કરીને વિરોધ દર્શાવ્યો અને દરેક ભારતીયોને એકતા દર્શાવવા માટે હાંકલ કરી. ટ્વિટર બધાએ એકતા સાથે કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે અને અમે સમાધાન લાવીશું. જોકે ઘણા એવા નેતાઓ છે જેમને કલાકારોની આ એકતા નથી ગમી રહી.
શશી થરૂરે આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરે કહ્યું છે કે ભારતીય હસ્તીઓએ વિદેશી હસ્તીઓના નિવેદન પર પ્રતિક્રિયા આપવીએ શરમજનક છે. વિશ્વમાં ભારતની છવિને જે નુકસાન થયું છે તેની ભરપાઈ આ ટ્વિટ ન કરી શકે. તેમણે કહ્યું કે સરકાર આ કાયદાઓને પાછા લે અને ચર્ચા કરે.
For GoI to get Indian celebrities to react to Western ones is embarrassing. The damage done to India's global image by GoI's obduracy &undemocratic behaviour can't be remedied by a cricketer's tweets. Withdraw the farm laws &discuss solutions w/farmers &you'll get #IndiaTogether.
આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે આ સિતારાઓને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે સિતારાઓ બોલી રહ્યા છે તે ભાજપના સિતારા છે અને પાર્ટીના પ્રચાર તંત્રમાં પણ સામેલ થાય છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે આ આંતરિક મામલો છે અને કોઈ પણ આંતરરાષ્ટ્રીય દખલ મંજૂર નથી.
Why did the PM of India comment on the assault on the Capitol building in Washington by the Trump storm troopers?
It is sad that someone erudite and worldly wise like Mr S Jaishankar should allow such puerile reactions by the MEA?
આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે માનવાધિકારના મુદ્દા પર કોઈ બોર્ડર નથી હોતી. તેમણે આ મુદ્દે સરકાર સામે સવાલ કરતાં કહ્યું કે ટ્રમ્પના સમર્થકો દ્વારા વ્હાઇટ હાઉસમાં ઉપદ્રવ બાદ પીએમ મોદીએ કેમ કોમેન્ટ કરી હતી? મ્યાનમારમાં તખ્તાપલટ પર વિદેશમંત્રાલયે કેમ નિવેદન આપ્યું હતું? પી ચિદમ્બરમમાં પુત્ર કાર્તિએ પણ કટાક્ષ કરતાં કહ્યું કે BCCI ક્રિકેટરોને ટ્વિટ કરવા માટે દબાણ ન કરો.
Dear @BCCI please stop forcing cricketers from tweeting propaganda. It’s very crude.
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી કાયદાના વિરોધમાં દિલ્હી અને આસપાસની બોર્ડર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને હવે આ મુદ્દા પર વિશ્વના ઘણા લોકોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી દીધી છે. ભારતના નામાંકિત કલાકારો અને ખેલ જગતની હસ્તીઓએ આ લોકોને ટ્વિટર પર જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતના આંતરિક મુદ્દાનું ભારત સામાધાન લાવશે તેમ કહી રહ્યા છે.
ભારત સરકારે પણ રિહાના જેવા કલાકારો દ્વારા આપવામાં આવેલ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે. બોલિવૂડના ઘણા બધા કલાકારો, ક્રિકેટરો અને કેન્દ્રીય મંત્રીઓએ સરકારના વલણનું સમર્થન કર્યું. અને ટ્વિટર પર ઈન્ડિયા અગેનસ્ટ પ્રોપેગેન્ડા તથા ઈન્ડિયા ટૂગેધર જેવા હેશટેગ ટ્રેન્ડ થયા.