વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવનાઓ જોવાઈ રહી છે.અને ભારતીય માછીમારોને દરિયો ના ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે
ગુજરાતમાં હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી
માછીમારોને બે દિવસ દરિયામાં ના જવા ચેતવણી
એક કલાકમાં જ અમદાવાદમાં ભર્યા પાણી-મુશ્કેલી સર્જી
શનિવારે સવારથી જ ભાદરવા મહિનાના દનૈયા તપતા હોય તેમ પ્રખર ગરમીનો અહેસાસ,બપોરે દોઢ વાગ્યાના અરસામાં એક ગોરંભામાં પરિવર્તિત થયો અને ગણતરીની મીનીટોમાં ધોધમાર વરસાદ શરુ થયો હતો. અમદાવાદમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા,ટ્રાફિક વ્યવહારને ઘેરી અસર પડી હતી. કેટલાય વિસ્તારોમાં ટ્રાફિક જામ તો કેટલીય જગ્યાએ જળજમાવ એક સમસ્યા બની ગઈ હતી.અમદાવાદના બાપુનગર,હાથીજણ,રામોલ,CTM ચાર રસ્તાથી જશોદાનગર,ઓઢવ,સેટેલાઈટ, ખોખરા-હાટકેશ્વર અમરાઈવાડી જેવા વિસ્તારોમાં ઓચિંતો વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો અને પાણી ભરાઈ ગયા હતા. ગુલાબમાંથી વાવાઝોડું શાહીન ભલે પરિવર્તિત થઈને પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું હોય, પણ પૂંછડાનો માર આપતું હોય તેમ હજુ પણ ચાર દિવસ માધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.
હજુ 'હાથિયો' તો બાકી છે
ગુલાબમાંથી પરિવર્તિત થયેલા વાવાઝોડા શાહીનનું આ નામ કતારે આપ્યું છે. જે પાકિસ્તાનના મકરાણ કાંઠે ટકરાશે,જે સૌથી વધુ શક્તિશાળી હશે. આ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવનાઓ જોવાઈ રહી છે. દરમિયાન ભારતીય માછીમારોને અને સમુદ્ર નજીક રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, સમુદ્રથી દૂર રહે અને માછીમારો હમણાં બે દિવસ દરિયો ના ખેડે તે હિતાવહ છે.વાવાઝોડાનો પૂછ્ડીયો માર આગામી 36 કલાક રહેવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. નક્ષત્રની દૃષ્ટિએ જોઈએ તો હજુ હાથિયો નક્ષત્ર બાકી છે એટલે નવર્રાત્રી દરમિયાન પણ મોટા ઝાપટા કે ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓને નકારી શકાય નહિ
NDRF તહેનાત
શાહીનના કરને વાવાઝોડું વેગવાન બનવાની સંભાવનાઓ વચ્ચે રાજ્યમાં NDRFની ટીમોને વિવિધ સ્થળોએ તહેનાત કરી દેવામાં આવી છે.NDRFની કેટલીક ટીમોને સુરત, વલસાડ, અમરેલી.ગીર-સોમનાથ પાટણ,જામનગર જેવી જગ્યાએ તહેનાત કરાઈ છે. NDRFની 17 તો SDRFની 8 ટીમોને વાવાઝોડાની સતર્કતાના ભાગરૂપ રાહત-બચાવ માટે તહેનાત કરાઇ છે.
વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે.
કેટલાક જિલ્લાઓ વરસાદી હેતથી અતૃપ્ત
રાજ્યમાં મોટાભાગના ડેમ છલોછલ થઇ ગયા છે ત્યારે, કેટલાક જિલ્લાઓ હવે વરસાદ ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના અંદાજે 14 જિલ્લાઓમાં વરસાદની અછત દેખાઈ છે. આવા જિલ્લાઓમાં 35 ટકાથી વધુ વરસાદની ઘટ સામે આવી છે.ગુજરાતના આવા 14 જિલ્લાઓમાં તાપી, અરવલ્લી, દાહોદ ઉપરાંત સુરેન્દ્રનગર, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના ત્રણ જ જિલ્લા એવા છે જ્યાં વરસાદ વધુ થયો છે.વલસાડ,નવસારી અને સુરત સૌથી વધુ પડેલા વરસાદવાળા જિલ્લાઓમાં સમાવિષ્ઠ છે