સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કાલે બપોરે 1-00 વાગ્યે કચ્છના નલિયાના દરિયામાં શાહિન વાવાઝોડું ઉદભવશે
આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે.
દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પવન સાથે વરસાદ
વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે નુકસાનની પણ ભીતિ છે.
માછીમારોને દરિયામાં ન જવા હવામાન વિભાગની સુચના
કચ્છની સાથે સાથે દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પણ ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડશે. શાહીન વવાઝોડાની અસર સૌરાષ્ટ્રનાં દરિયાકિનારામાં જોવા મળશે જેમા સૌરાષ્ટ્રમાં 40થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શુક્રવારે બપોરના સમયથી આ ખતરો શરૂ થવાની આગાહીના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.