દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ અંદાજિત બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનના કારણે દિલ્હીને નોઇડાથી જોડાનાર રોડ પણ લાંબા સમયથી બંધ છે. આ વચ્ચે રવિવારે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ હિંદુ-મુસ્લિમ એકતાની એક સુંદર મિસાલ રજૂ કરી અને ત્યાંથી એક અંતિમ યાત્રા માટે આગળ વધીને રસ્તો ખોલ્યો.
યાત્રા માટે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ રસ્તો ખોલ્યો
બે મહિનાથી બંધ છે દિલ્હીનો નોઇડાથી જોડાનારો રોડ
આ પ્રકારે અંતિમ યાત્રા ત્યાંથી સીધી આગળ વધી શકી. જોકે, શાહીન બાગ વિસ્તારમાં કોઈ હિન્દુનું નિધન થયું હતું, જ્યારબાદ મૃતકના પરિવારજનો અંતિમ યાત્રા લઇને ત્યાંથી આગળ વધવા માટે પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા. અંતિમ યાત્રાને જોઇ પ્રદર્શનકારીઓ તરત આગળ આવ્યા અને વગર કોઇ વાતચીતે બેરિકેડ હટાવીને બંધ રસ્તાને ખોલી દીધો. ત્યાર બાદ લોકો અંતિમ યાત્રાની સાથે આગળ વધ્યા.
#MustWatch#ShaheenBagh protesters open up barricades to let a Hindu funeral procession pass.
પ્રદર્શનકારીઓના આ કામનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ત્યારે હાજર લોકોને કહ્યું કે અમે એક બીજાની ઇજ્જત કરીએ છીએ, એજ કારણ છે કે અમે ત્યાંથી અંતિમ યાત્રા કાઢવા માટે રસ્તો આપ્યો.
Delhi: Protestors allowed a funeral procession to pass through a road in Shaheen Bagh, earlier today. Shaheen, a protestor says "We respect each other and by allowing the procession to pass through, we have not done anything unusual. We have allowed buses&ambulances also". pic.twitter.com/kChuzRIAQW