દુનિયાભરમાં હાલ કોરોનાની મહામારી છે. આ સમાચારો અને અફવાઓની વચ્ચે દેશ અને દુનિયાની અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ચુકી છે. કોરોનાને કારણે અનેક દેશોમાં રોજિંદી જિંદગી ઠપ્પ થઈ ચુકી છે. વાહન વ્યવહાર, શાળા-કોલેજ અને મોટા ભાગની કચેરીઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. દેશમાં CAA અને NRCના વિરોધમાં ચાલી રહેલા આંદોલનની શું સ્થિતિ છે. કોરોના વાયરસને કારણે ચર્ચાથી વિકેન્દ્રિત થઈ રહેલા શાહીન બાગના મહિલા આંદોલનને 93 દિવસ પુરા થઈ ચુક્યા છે.
કોરોનાથી સરકારને રાહત?
શાહીનબાગે ચમક ગુમાવી
આંદોલનકારીઓની સંખ્યા ઘટી
સોમવારે દિલ્હી સરકારના આદેશ બાદ પણ શાહીનબાગના વિરોધીઓએ વિરોધ સ્થળ છોડવાની ના પાડી દીધી છે. જો કે હવે વધુ લોકો શાહીન બાગમાં જોડાતા નથી. સરકારના આદેશ અનુસાર 50 થી વધુ લોકો ક્યાંય પણ એકઠા ન થઈ શકે. આવી સ્થિતિમાં શાહીનબાગમાં છેલ્લા 93 દિવસથી ચાલી રહેલા પ્રદર્શનમાં દરરોજ સેંકડો લોકો એકઠા થાય છે અને CAA, NCR અને NPRનો વિરોધ કરી રહ્યા છે.
શું છે શાહીનબાગની સ્થિતિ?
છેલ્લા 3 મહિના કરતા પણ વધુ સમયથી શાહીનબાગમાં આંદોલન ધમધમી રહ્યું છે. થોડા દિવસ પહેલા સુધી અહી રોજ 2-3 હજાર લોકોનો જમાવડો સતત જોવા મળતો હતો. જોકે, થોડા દિવસ પહેલા ઉપદ્રવીઓ આ શાંતિપૂર્વક ચાલતા ધરણા બંધ કરાવવા માટે હથિયારો સાથે પહોંચ્યા હતા. હિંદુ સંગઠનોએ શાહીનબાગનું પ્રદર્શન બંધ કરવા માટે રીતસરની ધમકીઓ પણ આપી હતી. જોકે હવે તે ધમકીઓ ઓછી થઈ ગઈ છે. કારણ કે લોકોનું ધ્યાન ધરણા પરથી વિષયાભિમુખ થઈને કોરોના તરફ આવી ગયું છે. શાહીન બાગમાં આજે પણ તંબુ છે ધરણા છે પ્રદર્શન છે પણ ભીડ નથી. હવે અહી માત્ર 100-150 જેટલી પ્રદર્શનકારી મહિલાઓ માસ્ક પહેરીને ધરણા કરે છે.
શાહીનબાગના પ્રદર્શનને લઈને પણ લાગૂ પડશે આ નિયમ
શાહીનબાગના આંદોલનનો જે લોકો વિરોધ કરી રહ્યા હતા તેઓ પણ હવે ચુપ છે. જે લોકો રસ્તો ખોલાવવા માટે લડત લડી રહ્યા હતા તેઓ પણ કોરોનાને કારણે અવાજ નથી ઉઠાવી રહ્યા. કારણ કે, શાળા અને કોલેજે 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. એટલે આ સડકો પર હવે ભીડ પણ ખુબ ઓછી છે. પહેલા પોલીસે શાહીનબાગમાં મોટા વિસ્તારમાં બેરિકેટિંગ કર્યું હતું એટલે રસ્તો બ્લોક હતો પરંતુ હવે બેરિકેટિંગ પાછળ ખસેડી લેતા લોકો અવરજવર કરી શકે છે. શાહીનબાગમાં ભીડ ઓછી થઈ જવાના કારણે આપોઆપ રસ્તા ખુલી ગયા છે. જોકે, ભાજપના નેતા નંદ કિશોર ગર્ગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને શાહીનબાગ પ્રદર્શનને ખતમ કરવા માટે માગ કરી છે. આ માટે તેમણે કોરોનાનો તર્ક આપ્યો છે.
ભાજપના નેતા નંદ કિશોર ગર્ગે SCમાં અરજી
કોરોના મહામારી જાહેર કર્યા બાદ વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવાયો છે. દેશમાં રાજકીય સભાઓ પણ નથી થતી. એટલે દેશભરમાં આંદોલનકારીઓએ પણ સભાઓ અને રેલીઓ રદ્દ કરી દીધી છે. આમ સરકારને કોરોનાને કારણે વિરોધ પ્રદર્શનથી રાહત પણ મળી છે..
દિલ્હી સરકારે લાગૂ કર્યો આ નિયમ
કોરોનાના વધતા જતા ખતરો વચ્ચે દિલ્હી સરકારે 50 થી વધુ લોકોને એકઠા કરવા, લગ્ન સહિતના તમામ પ્રકારના કાર્યક્રમો અને ધરણા પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન જીમ, નાઈટ ક્લબ, થિયેટરો, સ્પા સેન્ટરો, સાપ્તાહિક બજારો પણ બંધ રહેશે. ઉલ્લંઘન કરનાર સામે રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમાં બે વર્ષ સુધીની કેદ અને દંડ થઈ શકે છે. શાહીનબાગ ખાતે સીએએ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને પણ નવા આદેશનો અમલ થશે.
કોરોનાથી બચવા માટે કરવામાં આવી આ ખાસ વ્યવસ્થા
કેજરીવાલે કહ્યું કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ, એમસીડી કમિશનરને જુદા જુદા સ્થળોએ મોબાઇલ વોશ બેસિન લગાવવા આદેશ અપાયો છે. આમાં સાબુ અને પાણી હશે. જેના કારણે લોકોને હાથ ધોવામાં સરળતા રહેશે. તમામ કચેરીઓના પ્રવેશદ્વાર અને બહાર નીકળતાં હેન્ડ સેનિટાઇઝર આપવામાં આવશે. તે ગાર્ડની પાસે રાખવામાં આવશે. આની મદદથી લોકો ઓફિસમાં પ્રવેશતાં અને બહાર નીકળતા સમયે હાથ સાફ કરી શકશે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી કે તેઓ વારંવાર હાથ ધોઈ જાય અને એક બીજા સાથે હાથ ન મિલાવે. આ વ્યવસ્થા કોરોના વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરશે.