શાહીન બાગ (Shaheen Bagh)માં સીએએ (CAA) ના વિરોધમાં ધરણા-પ્રદર્શન મામલામાં સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રદર્શનમાં 4 મહીનાના બાળકના મોત પર કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે વીરતા પૂરસ્કાર જીતનાર એક બાળકના પત્ર લખ્યા બાદ સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે શાહીન બાગ પ્રદર્શનમાં એક 4 મહીનાના બાળકનું શરદીથી મોત થઇ ગયું હતું.
સુપ્રીમ કોર્ટે પ્રદર્શનમાં 4 મહીનાના બાળકના મોત પર કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ ફટકારી
સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું, ચાર મહીનાના એક બાળકનું મોત ખુબજ દુર્ભાગ્યપૂર્ણ
ગ્રેટા થનબર્ગ એક પ્રદર્શનકારી બની ત્યારે પણ એક બાળકી જ હતી : વકીલ
બાળકોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે આ ખુબજ દુર્ભાગ્યપૂર્ણ છે કે ચાર મહીનાના એક બાળકનું મોત થયું. આ ઉપરાંત શાહીન બાગની ત્રણ લાખ મહિલાઓએ પણ ખુદનો પક્ષ રાખવાની માંગ કરી. આ ત્રણેય મહિલાઓએ પોતાના વકીલ દ્વારા કહ્યું કે જ્યારે ગ્રેટા થનબર્ગ એક પ્રદર્શનકારી બની ત્યારે પણ એક બાળકી જ હતી. તેઓએ કહ્યું કે, તેમના બાળકોને સ્કૂલમાં પાકિસ્તાની કહેવામાં આવે છે.
અમે કોઇની અવાજ દબાવી રહ્યા નથી
ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે, કોઇ બાળકને સ્કૂલમાં પાકિસ્તાની કહેવામાં આવે, આ કોર્ટ સમક્ષ વિષય નથી. સીજેઆઇએ કહ્યું કે, અમે આ સમયે NRC, NPA અથવા કોઇ બાળકને પાકિસ્તાની કહેવા પર સુનાવણી નથી કરી રહ્યા. સીજેઆઇની અધ્યક્ષતા વાળી પીઠે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, કોર્ટ મધરહુડનું સન્માન કરે છે પરંતુ અમને બતાવો કે શું 4 મહીના કયું બાળક ખુદ પ્રોટેસ્ટ કરવા જાય છે?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું, અમે કોઇની અવાજ નથી દબાવી રહ્યા પરંતુ સુપ્રીમ કોર્ટમાં બિન જરૂરી દલીલો નહીં કરીએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને આ મામલામાં નોટિસ જારી કરતા 4 સપ્તાહમાં જવાબ દાખલ કરવા કહ્યું છે.
નોંધનીય છે કે, શાહીન બાગમાં સીએએ વિરોધી પ્રદર્શનમાં સામેલ આ મહિલાઓનો પક્ષ રાખવા માટે ઘણા વકીલ હાજર હતા. તેઓનું કહેવું હતું કે, બાળકોને પ્રદર્શન કરવાનો હક છે અને ઘણા બાળકો સીએએ અને એનઆરસીને પગલે ડિટેન્શન સેન્ટરમાં મરી રહ્યા છે.