દિલ્હી હિંસાને પગલે દિલ્હીમાં કલમ 144 અમલમાં મુકવામાં આવી હતી. જેનો અમલ નાગરિક્તા કાયદાની વિરુદ્ધ શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પણ કરવા પોલીસ ફરજ પાડી રહી છે. શાહીન બાગમાં દિલ્હી પોલીસે નોટિસ જાહેર કરી કહ્યું છે કે આ વિસ્તારમાં ભેગા ન થાવ. ન પ્રદર્શન કરો. આ આદેશને ન માનનારાની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. શાહીન બાગમાં મહિલાઓ અઢી મહિનાથી સતત ધરણા પર બેઠી છે અને નાગરિક્તા કાયદાને હટાવવા માંગણી કરી રહી છે.
શાહીન બાગ ખાલી કરાવવા પોલીસ તત્પર
શાહીન બાગમાં પોલીસ કલમ 144નો અમલ કરાવવા માટે કટિબદ્ધ
શાહીન બાગમાં મોટી સંખ્યામાં પોલીસ ફરજ પર
પોલીસ તમામ પર બાજ નજર રાખી રહી છે
Joint Commissioner DC Srivastava at Delhi's Shaheen Bagh: As a precautionary measure, there is heavy police deployment here; Our aim is to maintain law and order and prevent any untoward incident from occurring. https://t.co/Wh9ONK0LgIpic.twitter.com/OsL4Geqz0D
દિલ્હી પોલીસે પ્રદર્શન સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂક કરી દીધી છે. આ પ્રદર્શન સ્થળની પાસે ધીરે - ધીરે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. પોલીસ તમામ પર બાજ નજર રાખી રહી છે. આ ઉપરાંત પ્રદર્શન સ્થળ તરફ આવનારા રસ્તાઓ પર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
પોલીસ કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી રોકવા પ્રયત્નશીલ
સંયુક્ત કમિશ્નર શ્રીવાસ્તવ પણ શાહીન બાગમાં હાજર હતા. તેમણે કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે સંખ્યામાં પોલીસ કર્મીઓનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે. અમારો હેતું કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાનો છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને બનતી રોકવાનો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે આ નિર્ણય પર મક્કમ પણે કામ કરી રહી છે.
હિંદુ સેના પણ પ્રદર્શન કરવાની હતી
ઉલ્લેખનીય છે કે શાહીન બાગ પ્રદર્શન સ્થળ પર બેઠેલી મહિલાઓને હટાવવા માટે હિંદુ સેના મેદાનમાં ઉતરવાની હતી. હિંદુ સેનાએ એલાન કર્યુ હતું કે તે શાહીન બાગના રસ્તા ખોલાવશે. જો કે પછીથી દિલ્હીમાં હિંસા ભડકી હતી. હિંદુ સેનાએ પોતાનો નિર્ણય બદલી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો છે.