સુપરસ્ટાર શાહરૂખ ખાનના દિકરાને 2 ઓક્ટોબરે પકડ્યા બાદ તે વિવાદમાં આવી ગયો હતો. 28 દિવસ બાદ આર્યનને જામીન મળ્યા હતા અને હવે કિંગ ખાન તેને લઇને સચેત થઇ ગયો છે.
શાહરૂખે દિકરા માટે આપી દીધું બલિદાન?
મેન્ટલ ટ્રોમામાંથી બહાર લાવવાનો પ્રયત્ન
રાહુલ ગાંધીએ લખ્યો હતો પત્ર?
મેન્ટલ ટ્રોમામાંથી બહાર લાવવા પ્રયાસ
શાહરૂખ ખાન પૂરતો પ્રયત્ન કરી રહ્યો છે કે દિકરાને મેન્ટર સ્ટેટમાં પાછો લાવી શકે. 28 દિવસ જેલમાં વિતાવવા તે કોઇના પણ માટે નાની વાત નથી. ખાસ કરીને આર્યનની સુરક્ષાને લઇને શાહરૂખ ખુબ ચિંતામાં છે.
શાહરૂખે આપ્યુ બલિદાન
એક રિપોર્ટ અનુસાર શાહરૂખ પોતાના દિકરાની સુરક્ષાને લઇને ખુબ ચિંતામાં છે અને નવો બોડીગાર્ડ હાયર કરવાની તૈયારી કરે છે પરંતુ આર્યન ખુબ ઓછા લોકો સાથે કમ્ફર્ટેબલ થાય છે. તેવા સમયમાં આર્યન માટે નવો બોડીગાર્ડ કેવી રીતે હાયર કરવો. શાહરૂખે તેના બોડીગાર્ડ રવિને આર્યનની જવાબદારી સોંપી દીધી છે. આર્યન રવિને વર્ષોથી ઓળખે છે અને તેની સાથે કમ્ફર્ટેબલ પણ છે. હવે શાહરૂખ પોતાના માટે નવો બોડીગાર્ડ શોધશે.
રાહુલે લખ્યો પત્ર?
આર્યન ખાન જ્યારે ડ્રગ્સ કેસમાં જેલમાં હતો ત્યારે રાહુલ ગાંધીએ શાહરુખ ખાનને પત્ર લખ્યો હતો. જેમા તેમણે શાહરૂખને કહ્યું હતું કે દેશ તમારી સાથે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ચિઠ્ઠી આર્યન ખાન જ્યારે જેલમાં હતો ત્યારે લખવામાં આવી હતી. 2 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. જેમા ગત ગુરુવારે તેને જામીન મળ્યા હતા. ક્રુઝ પર જ્યારે રેડ કરવામાં આવી ત્યારે ત્યાથી આર્યન ખાનના ફ્રેન્ડસ અરબાઝ અને મુનમુનને પણ ઝડપી પાડવામાં આવી હતી.
બે વખત તેના જામીન થયા હતા રદ્દ
સેશન્સ કોર્ટ દ્વારા બે વખત આર્યનના જામીન રદ કરવામાં આવ્યા હતા. ત્રણ વખત આર્યનને જામીન નહોતા મળ્યા પરંતુ ત્રીજી વખત તેના જામીનને લઈને વકીલોને સફળતા મળી હતી. આર્યન ખાનનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યા બાદ બોલિવૂડના ઘણા સેલેબ્રિટી તેના સમર્થનમાં આવ્યા હતા.