અભિનેતા શાહરૂખ ખાને એક વીડિયો દ્વારા સંદેશ જારી કર્યો છે. આ ઉપરાંત પીએમ મોદીની 22 માર્ચે 'જનતા કર્ફ્યૂ'ની અપીલનો જવાબ આપ્યો છે. શાહરૂખ ખાનનું ટ્વિટ પણ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
અભિનેતા શાહરૂખ ખાને એક વીડિયો દ્વારા સંદેશ જારી કર્યો છે
પીએમ મોદીના જનતા કર્ફ્યૂ અપીલ પર કર્યું ટ્વિટ
ટ્વિટ થયું વાયરલ
દુનિયાભરમાં ભય મચાવ્યા બાદ હવે કોરોના વાયરસ ભારતમાં પોતાના પગ પેસારો કરી દીધો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા આશરે 223 સુધી પહોંચી ગઇ છે. શુક્રવારે બોલીવુલ સિંગર કનિકા કપૂર પણ કોરોના સંક્રમિત મળી આવી, દેશમાં કોરોનાને રોકવા માટે અલગ અલગ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બોલીવુડ સિતારે પણ સતત ફેન્સની અપીલ કરી રહ્યા છે.
શાહરૂખ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટથી એક વીડિયો જારી કરીને લોકોને ઘરથી બહાર ન નિકળવાની અપીલ કરી છે. શાહરૂખે કહ્યું, 'નમસ્કાર, હું તમામ અપીલ કરું છું પબ્લિક પ્લેસ પર જતા બચો. જો જરૂરી ના હોય તો ટ્રેન અને બસોની સફર કરતા બચો. આવનારા 10 થી 15 દિવસ ખૂબ ખરાબ છે.'
શાહરૂખે આગળ કહ્યું, 'આ વાયરલથી લડવા માટે જનતા અને સરકારની સાથે મળીને કામ કરવાની જરૂર છે. તો હું અપીલ કરું છું કે પેનિક ના કરો અને કોઇ પણ પ્રકારના દુષ્પ્રચારથી સતર્ક રહે અને રાજ્ય સરકાર દ્વારા જારી નિર્દેશોનું પાલન કરો.
આ ઉપરાંત પીએમ મોદીએ 22 માર્ચ એટલે રવિવારના દિવસે દેશના લોકોથી 'જનતા કર્ફ્યૂ' ની અપીલ કરી છે અને કહ્યું છે કે આ દિવસે ઘરમાં જ રહો. બોલીવુડ પીએમ નરેન્દ્ર મોદીની આ અપીલ પર જોરદાર રિએક્ટ કરી રહ્યા છે. શાહરૂખ ખાને પણ આ બાબતે ટ્વિટ કર્યું છે અને એનું ટ્વિટ ખૂબ જ વાયરલ પણ થઇ રહ્યું છે.
It’s imp 2 reduce social interaction 2 minimum. Self Quarantine.The idea of #JanataCurfew on Sunday is a means to this end & we should continue this concept at a personal level as much as we can & more.We need to ‘slow down time’ to arrest the virus spread. Be safe & healthy all. https://t.co/MhC86Zvqg0
શાહરૂખ ખાને લખ્યું છે કે આ ખૂબ જરૂરી છે કે સામાજિક સંપર્ક ઓછા કરે. સેલ્ફ ક્વોરન્ટાઇન. રવિવારે જનતા કર્ફ્યૂનો વિચાર આ અંતનું એક સાધન છે અને આપણે એને એક વ્યક્તિગત સ્તર પર જારી રાખવું જોઇએ. વાયરસ ફેલાતા રોકથામ માટે આપણે 'સ્લો ડાઉન ટાઇમ' કરવાની જરૂર છે, જેટલું આપડે કરી શકીએ. તમામ સુરક્ષિત અને સ્વસ્થ રહો.