એક સમાચાર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાન એક એક્શન થ્રિલર ફિલ્મમાં નજરે આવશે. આ ફિલ્મને અલી અબ્બાસ જફર નિર્દેશિત કરશે. આવા સમાચારોથી પરેશાન થઇને શાહરૂખ ખાને એક ટ્વિટ કર્યું છે.
બોલીવુડનો કિંગ ખાન છેલ્લા કેટલાક સમયથી મોટા પડદા પર નજરે આવી રહ્યો નથી. એવામાં એના ફેન્સ એને જોવા માટે ખૂબ આતુર છે. આ વચ્ચે જો શાહરૂખની ફિલ્મના કોઇ સમાચાર સામે આવે તો એ ઝડપથી વાયરલ થઇ જાય છે. તાજેતરમાં સમાચાર મળ્યા હતા કે શાહરૂખ ખાન ડિરેક્ટર કબીર ખાનની સાથે ફિલ્મ કરવા જઇ રહ્યો છે. આ સમાચારને લઇને ખુદ શાહરૂખ ખાને ટ્વિટ કર્યું છે.
વાસ્તવમાં એક સમાચાર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે શાહરૂખ ખાન એક એક્શન થ્રિલર ફિલ્મમાં નજરે આવશે. આ ફિલ્મને અલી અબ્બાસ જફર નિર્દેશિત કરશે. આવા સમાચારોથી પરેશાન થઇને શાહરૂખ ખાને એક ટ્વિટ કર્યું છે, જો કે શાહરૂખ ખાનનું ટ્વિટ ખૂબ મજેદાર અંદાજમાં છે.
શાહરૂખે ટ્વિટ કરતા લખ્યું 'આ જાણીને ખૂબ જ ખુશી મળે છે કે મારી ગેરહાજરીમાં અને મારી પાછળ મારી અચાનકથી ઘણી ફિલ્મો સાઇન કરી લીધી છે, જેના માટે મને ખુદને જાણકારી નથી. મિત્રો જ્યારે પણ હું કોઇ ફિલ્મ સાઇન કરીશ, ત્યારે હું જાતે જ કહીશ કે હું આ ફિલ્મ કરી રહ્યો છું. આ ઉપરાંત જે પણ સમાચાર સામે આવી રહ્યા છે એ અફવા છે.'
It’s always nice to know that in my absence & behind my back , I have surreptitiously signed so many films that even I am not aware of!! Boys & girls I do a film when I say I am doing it....otherwise it’s just post truth.
જણાવી દઇએ કે તાજેતરમાં એક બીજા સમાચાર સામે આવ્યા હતા કે શાહરૂખ ખાન રણબીર કપૂર આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન સ્ટાર બ્રહ્માસ્ત્રમાં કેમિયો કરતો નજરે પડી શકે છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યો છે. જો કે આ કેમિયો વાળા સમાચાર કેટલા તથ્ય છે એ કહેવું સંભવ નથી.
જો કે શાહરૂખના વર્કફ્રંટની વાત કરીએ તો શાહરૂખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો 21 ડિસેમ્બર 2018 એ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે કેટરીના કેફ અને અનુષ્કા શર્મા પણ નજરે આવી હતી.