બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના ઘરે દરેક તહેવારની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. રવિવારે ગણપતિ વિસર્જન હતુ. ગણપતિ વિસર્જન વખતે ભક્તોએ પૂજા-અર્ચના કર્યા બાદ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કર્યુ હતુ.
ખાને લોકોનું દિલ જીતી લે તેવી પોસ્ટ લખી આપી લોકોને શુભેચ્છા
સોશિયલ મીડિયા પર લખી પોસ્ટ
આ પ્રસંગે શાહરૂખ ખાને સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી છે. આ સાથે જ લોકોનું દિલ જીતી લે તેવી પોસ્ટ પણ લખી છે. તેમણે કહ્યું કે, દરેક લોકો પર ભગવાનનો આશીર્વાદ રહે. શાહરૂખ લખે છે કે ભગવાન ગણપતિના આશીર્વાદ આપણા પર ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણે બાપ્પાને આવતા વર્ષે ફરીથી લાવીએ નહીં. ગણપતિ બાપ્પા મોરયા.
ગયા વર્ષે પણ શાહરૂખ ખાને ગણપતિ ઉત્સવ દરમ્યાન શુભેચ્છા આપી હતી. તેમણે પોતાની એક રંગીન તસ્વીર શેર કરી હતી. જેમાં તેમણે લાલ તિલક કર્યુ હતુ. શાહરૂખ ખાને લખ્યું હતુ, પ્રાર્થના અને વિસર્જન કર્યુ. આ ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશ તમને અને તમારા શુભચિંતકોને આશીર્વાદ અને આનંદ પ્રદાન કરે. ગણપતિ બાપ્પા મોરયા.
શુટીંગમાં વ્યસ્ત
શાહરૂખ ખાન અત્યારે નિર્દેશક ઈટલીની આગામી ફિલ્મનું શુટીંગ પુણેમાં કરી રહ્યાં છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, પ્રિયામણિ અને રાણા દગ્ગુબાતી છે. શાહરૂખ ખાનની પાસે આ સિવાય પઠાણ છે. આ સાથે તેઓ ફિલ્મ બહ્માસ્ત્રમાં નાનકડા રોલમાં જોવા મળશે.