કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં પરિસ્થિતિ નાજૂક છે. આ વાયરસનો ચેપ લોકોને ન લાગે માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આમ થવાને કારણે લોકોના રોજગાર બંધ થઇ ગયા છે અને અર્થતંત્ર પર પણ માઠી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં કેટલાય લોકોએ આર્થિક મદદની જાહેરાત કરી છે જેમાં બોલીવૂડના સ્ટાર્સ પણ મદદ કરી કરી રહ્યા છે. નોંધનીય છે કે, અક્ષય કુમારની જાહેરાત બાદ શાહરૂખ ખાને મદદની જાહેરાત કરતા મોટા-મોટા દિગ્ગજોએ તેમનો આભાર માન્યો હતો.
કોરોના વાયરસનો કહેર
શાહરૂખની મદદની જાહેરાત બાદ કેજરીવાલે માન્યો આભાર
શાહરૂખાને પ્રધાનંત્રી કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક મદદ કરવાનું એલાન કર્યું હતું. આ સાથે તેમણે પર્સનલ પ્રોટેક્ટિવ કિટ, એક મહીના સુધી મુંબઇના 5500 પરિવારોને જમવાનુ અને જરૂરીયાતનો સામાન ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી હતી. ત્યારે તેમની આ જાહેરાતને પગલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમનો આભાર માન્યો હતો.
કેજરીવાલની ટ્વીટને શાહરૂખ ખાને આપ્યો જવાબ
सर आप तो दिल्लीवाले हो, thank you मत करो, हुक्म करो। अपने दिल्लीवाले भाइयों और बहनों के लिए हम लगे रहेंगे। ईश्वर ने चाहा तो जल्द ही इस crisis से हम जीत कर निकलेंगे। More strength, resilience and power to your teams on ground sir. https://t.co/PoL7mLtlKa
કેજરીવાલે શાહરૂખને ટ્વિટર પર ટેગ કર્યા અને લખ્યું, 'શાહરુખજી આભાર, આ મુશ્કેલ સમયમાં તમારા ઉદાર યોગદાનથી ઘણા જીવનને લાભ થશે. શાહરૂખે પણ કેજરીવાલની ટ્વીટ પર ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું, 'સાહેબ, તમે તો દિલ્હીવાળા છો, આભાર માનો નહીં, હુકમ કરો. અમારા દિલ્હીવાળા ભાઈ-બહેનો માટે લાગેલા રહીશું. જો ભગવાનની ઇચ્છા થઇ, તો આપણે ટૂંક સમયમાં આ સંકટને દૂર કરીશું. આપને મહેનતું ટીમને ઇશ્વર વધુ શક્તિ આપે.
આદિત્ય ઠાકરેના શાહરૂખે કર્યા વખાણ
આદિત્ય ઠાકરેએ પણ શાહરુખનો મદદ માટે આભાર માન્યો. શાહરૂખે જવાબ આપતા તેમના વખાણ કર્યા હતા અને કહ્યું કે, મહારાષ્ટ્રના વિકાસ માટે સખત મહેનત કરી છે. એટલું જ નહીં શાહરૂખ ખાને આદિત્યને નવરાશના સમયમાં કવિતા લખવા કહ્યું હતું.
શાહરૂખ ખાને મદદની કરી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને પ્રધાનમંત્રી રાહત ફંડમા આપેલ દાનને લઇને ઘણા બધા દિગ્ગજોએ તેમનો આભાર માન્યો હતો ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીએ પણ શાહરૂખનો આભાર માનત શાહરૂખ ટ્વીટમાં જવાબ આપ્યો હતો કે, સર, આપતો દિલ્હીવાળા છો, હુકમ કરો.
In these times it’s imp to make everyone around u working tirelessly for u.. not related to u.. perhaps even unknown to u... to feel they are not alone and by themselves. Let’s just make sure we all do our little bit to look after each other. India and all Indians are One Family. https://t.co/LWz4wQGaPe
શાહરૂખ ખાને પીએમ કેયર્સ ફંડમાં દાન આપવા ઉપરાંત અન્ય પણ સહાયનું એલાન કર્યું હતું. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપની રેડ ચીલીએ ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં લખ્યું છે: '
1. કોલકાતા નાઈટ રાઇડર્સના કો-ઓનર શાહરૂખ ખાન, ગૌરી ખાન, જુહી ચાવલા મહેતા અને જય મહેતાએ પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
2. રેડ ચિલીના માલિક ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં ફાળો આપવાનો સંકલ્પ કર્યો છે.
3. હેલ્થ કેયર વર્કર્સના સપોર્ટ અને સલામતી માટે 50,000 પર્સનલ પ્રોટેક્ટિવ સાધનો એટલે કે પી.પી.ઇ. નું યોગદાન.
4. મીર ફાઉન્ડેશનના સહયોગથી દરરોજ એક મહિના માટે મુંબઈના 5500 પરિવારોને ભોજન આપવાનો સંકલ્પ
5. ગરીબ અને રોજમદાન મજૂરોને એક મહિના સુધી ભોજનની કીટ આપવી.