બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને બી-ટાઉનના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક માનવામાં આવે છે. આ બંનેએ સમાજ અને ધર્મના બંધનમાંથી મુક્ત થઈને વર્ષ 1991માં લવ મેરેજ કર્યા હતા. હવે તેમના લગ્નને 29 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં આજે પણ તેમનો સંબંધ લોકો માટે ઉદાહરણ સમાન છે. પણ તમને જણાવી દઈએ કે, પોતાના પ્રેમ ગૌરીને મેળવવી શાહરૂખ માટે એક સ્વપ્ન સમાન હતું. તેને ગૌરી સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.
બોલિવૂડના કિંગ ખાનને ગૌરી સાથે લગ્ન કરવા ઘણી મહેનત કરવી પડી હતી
બંનેએ 3વાર કર્યા હતા લગ્ન
આ બંને કપલનો પ્રેમ આજે પણ લોકો માટે ઉદાહરણ સ્વરૂપ છે
આજે કરોડો ફેન્સના દિલ પર શાહરૂખ અને ગૌરીની જોડી રાજ કરે છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે શાહરૂખ-ગૌરીએ એક-બેવાર નહીં પરંતુ ત્રણવાર લગ્ન કર્યા હતા. આ ત્રણ લગ્ન કરવા પાછળની કહાની પણ મજેદાર છે.
હકીકતમાં શાહરૂખ ખાન જ્યારે દિલ્હીમાં રહેતો હતો ત્યારે ગૌરીના ગળાડૂબ પ્રેમમાં હતો. ત્યારબાદ બંનેનો પ્રેમ પાંગર્યો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. કોઈપણ પ્રકારની કોઈ કમી ન રહી જાય તે માટે આ બંને કપલે 3વાર લગ્ન કર્યા. શાહરૂખને જૂના ઈન્ટરવ્યૂમાં આ વાતને ઘણાં જ મજેદાર અંદાજમાં જણાવી હતી.
આ બંનેએ 25 ઓક્ટોબર 1991માં સૌથી પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ બંનેએ એકબીજા સાથે નિકાહ કર્યા અને પછી છેલ્લે બંનેએ હિન્દુ રીત-રિવાજથી પણ લગ્ન કર્યા હતા. હકીકતમાં શાહરૂખ મુસ્લિમ હતો અને તેની પત્ની ગૌરી પંજાબી હિન્દુ હતી. એટલે બંને ઈચ્છતા હતા કે બંને ધર્મ પ્રમાણે લગ્ન થાય અને એટલે જ આ લોકોએ 3વાર લગ્ન કર્યા.
તમને જણાવી દઈએ કે, ગૌરી ખાનનું અસલી નામ ગૌરી છિબ્બર છે. ગૌરી લગ્ન બાદ પણ હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મ ફોલો કરે છે. શાહરૂખ અને ગૌરી 3 બાળકોના પેરેન્ટ્સ છે. જેમાં મોટો દિકરો આર્યન ખાન, દીકરી સુહાના ખાન અને ત્યારબાદ તેઓ 2013માં સેરોગેસીથી ત્રીજા દિકરા અબરામના પેરેન્ટ્સ બન્યા. તેમનો પરિવાર હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોનો પાલન કરે છે.