જાણીતી ફિલ્મ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમીએ કહ્યું કે સરકારનો વિરોધ કરનાર લોકોને તત્કાળ રાષ્ટ્રવિરોધી કહેવામાં આવે છે. એમને દેશની ખામીઓને દૂર કરવા માટે એસામે લાવવાની જરૂરીયાતો પર દબાણ આપ્યું.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ફિલ્મ અભિનેત્રી શબાના આઝમીએ ફરી એક વાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. શબાના આઝમીએ દેશની વર્તમાન સ્થિતિથી અંગે વાત કરતા કહ્યું કે, દેશની ખામીઓ બતાવવાથી દેશ બદલાશે. આ આપણો દેશ છે અને દેશ ભક્તિ માટે આપણે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. સરકારનો વિરોધ કરવાથી દેશદ્રોહી ગણવામાં આવે છે. પણ કોઈનાથી યે ડરવાની જરૂર નથી. આ આપણો દેશ છે અને આપણે જ આપણા દેશની સંસ્કૃતિને જાળવી રાખવાની છે.. શબાના આઝમી સાથે દિગ્વિજયસિંહ પણ નજેર પડ્યા હતા.
આઝમીએ સાંપ્રદાયિકતાનો વિરોધ કરતાં કહ્યું, 'હિંદુસ્તાન એક સુંદર દેશ છે, લોકોને વેચવાનો પ્રયત્ન આ દેશ માટે યોગ્ય હોઇ શકે નહીં.' જાણીતી અભિનેત્રીએ એવું પણ કહ્યું કે સાંપ્રદાયિક હુમલાથી સૌથી વધારે તકલીફ મહિલાઓને થાય છે.
એમને કહ્યું કે તોફાનોથી એક મહિલાનું ઘર બરબાદ થાય છે. એના બાળકો બેઘર થઇ જાય છે અને એ લોકો સ્કૂલે જઇ શકતા નથી. સાંપ્રદાયિકતાની સૌથી મોટી શિકાર મહિલા જ બને છે.