મધ્ય પ્રદેશના આગર-માલવામાં થયેલી એક હત્યાનો પર્દાફાશ કરી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ હત્યા પાછળ જીજાજી અને સાળીના અનૈતિક સંબંધ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટના નિપાનિયા બૈજનાથ ગામની છે.
મધ્ય પ્રદેશના આગર-માલવામાં સાઢુએ કરી જીજાજીની હત્યા
હત્યા પાછળ જીજાજી અને સાળીના અનૈતિક સંબંધ કારણભૂત
પોલીસે હત્યા મામલે બે આરોપીઓની કરી ધરપકડ
સાઢુએ જીજાજીની કરી હત્યા
બૈજનાથ ગામમાં 1 ડિસેમ્બરે ગામના 44 વર્ષિય નૂર મોહમ્મદ શેખ નામના શખ્સની અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી હતી. હત્યારાઓને શોધવા માટે પોલીસે 10 હજાર રૂપિયાનું ઈનામ પણ રાખ્યુ હતુ. નૂર મોહમ્મદની ધારદાર હથિયારો દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યાનો ખુલાસો કરતા પોલીસે જણાવ્યું કે જીજાજી અને સાળી વચ્ચે પ્રેમ સંબંધ હતા. જીજાજીએ સાળીના પતિને તેની સુહાગરાત્રિએ ફોન કરીને ધમકાવ્યો હતો અને સાળીથી દૂર રહેવા કહ્યું હતુ. આ વાતને મગજમાં રાખીને આરોપી સોહેલે મનમાં નૂર મોહમ્મદની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. પછી સાઢૂએ એક વર્ષ બાદ હત્યા કરીને આ ધમકીનો બદલો લીધો. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓની કરી ધરપકડ
પોલીસે જણાવ્યું કે, હત્યા કર્યા બાદ આરોપીઓએ હથિયારને રસ્તામાં પુલની નીચે ફેંકી દીધા અને લોહીથી ખરડાયેલા કપડાને દુકાનની બહાર સળગાવી દીધા. અત્યારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે નૂર મોહમ્મદે ત્રણ લગ્ન કર્યા હતા. ત્રીજા લગ્ન તેણે ગંગાપુરની રાની પિતા વકીલ ખાં સાથે કર્યા હતા. તે પત્ની અને ચાર બાળકોની સાથે સરેરાશ 4 વર્ષથી સાસરે ગંગાપુરમાં રહેવા માટે આવ્યો હતો.