સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને હાલના રાજ્યસભા સભ્ય જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ જાતીય શોષણના ષડયંત્રનો મામલો બંધ કરી દેવામાં આવ્યો છે.
ઈલેક્ટ્રોનિક રિકોર્ડ મેળવવાની શક્યતા બહું ઓછી રહી ગઈ છે
ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે
ગોગોઈને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે
ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટના 3 જજોની બેચે કહ્યું કે ઘણા દિવસો વિતી જવાના કારણે કેસ બંધ કરી દેવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ એકે પટનાયક કમિટીને ષડયંત્રની તપાસ કરવા કહેવામાં આવ્યું હતુ. કમિટીએ કહ્યું કે તેમણે જાતીય શોષણના મામલામાં તપાસ નથી કરી કેમ કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગોગોઈને આમાં પહેલા જ ક્લીન ચીટ આપી દેવામાં આવી છે.
તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે
કોર્ટે કહ્યું કે જ્યાં સુદી ષડયંત્રનો સવાલ છે તેનાથી ઈન્કાર ન કરી શકાય. કેમ કે જસ્ટિસ ગોગોઈએ આસામમાં એનઆરસી સહિત અનેક મુશ્કેલ ચુકાદાઓ આપ્યા હતા. તેનાથી ઘણા લોકો નાખુશ હતા. એટલા માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ શકે છે. એટલા માટે આઈબીની રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલાને બંધ કરી દીધો છે.
ઈલેક્ટ્રોનિક રિકોર્ડ મેળવવાની શક્યતા બહું ઓછી રહી ગઈ છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એકે પટનાયત પેનલ, ભારતના પૂર્વ પ્રધાન ન્યાયાધીશ ગોગોઈને ફસાવવાના ષડયંત્રની તપાસ કરવા માટે વોટ્સએપ મેસેજ જેવા ઈલેક્ટ્રોનિક રિકોર્ડ મેળવી નથી શક્યા. કોર્ટે કહ્યું કે 2 વર્ષ વીતી ચૂક્યા છે અને ગોગોઈને ફસાવવાના ષડયંત્રની તપાસમાં ઈલેક્ટ્રોનિક રિકોર્ડ મેળવવાની શક્યતા બહું ઓછી રહી ગઈ છે.