બ્રિટનમાં 48 મહિલા દર્દીઓ સાથે 54 સેક્સ ગુનાઓ આચરવા બદલ ભારતીય મૂળના ડોક્ટર કૃષ્ણ વલ્લભ પ્રસાદ સિંહ દોષી ઠેરવાયો છે.
બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરને યૌન ઉત્પીડનનો દોષી ઠેરવાયો
ડોક્ટર પર આરોપ 1983થી 2018 સુધી 54 મહિલાઓનું કર્યું જાતિય શોષણ
ડોક્ટરે 1974માં પટણા મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું હતું
લોકો ડોક્ટરને ભગવાનનો અવતાર ગણતા હોય છે પરંતુ ક્યારેય ડોક્ટર લોકોને બચાવવાનું કામ ભૂલીને મહિલાઓની ઈજ્જત સાથે ખેલ ખેલી જતા હોય છે અને ઘણી મહિલાઓનું જીવન બર્બાદ કરી નાખતા હોય છે. બ્રિટનમાં પણ ભારતીય મૂળના એક ડોક્ટરે મોટો કાંડ કરીને ઘણી મહિલાઓનું જીવન બર્બાદ કરી નાખ્યું હતું.
ભારતીય મૂળના ડોક્ટરે 48 મહિલા દર્દીઓનું યૌન શોષણ કર્યું
બ્રિટનમાં ભારતીય મૂળના ડોક્ટરને 48 મહિલા દર્દીઓની સાથે 54 સેક્સ ગુનાઓ આચરવાના કેસમાં દોષી ઠેરવાયો છે. ગ્લાસ્ગો હાઈકોર્ટની જ્યુરીએ ડોક્ટર કૃષ્ણ વલ્લભ પ્રસાદ સિંહને ગુરુવારે દોષી ઠેરવ્યો હતો. ડોક્ટર કૃષ્ણ વલ્લભે1983થી 2018ની વચ્ચે સગીર સહિત ઘણી મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કર્યું હતું.
દર્દીઓ પર અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ
પીડિતોએ જણાવ્યું કે ટેસ્ટ દરમિયાન ડોક્ટરે તેના સ્કર્ટ પર હાથ મૂક્યો, તેને કિસ કરી અને ખોટી રીતે તપાસ કરી. આ દરમિયાન તે અભદ્ર ટિપ્પણી કરતો રહ્યો. મોટાભાગના ગુનાઓ તબીબી તપાસ દરમિયાન થયા છે, પરંતુ ડૉક્ટર પર પોલીસ સ્ટેશનમાં દર્દી સાથે મારપીટ કરવાનો પણ આરોપ છે. મહિલાઓએ કોર્ટને જણાવ્યું કે શરૂઆતમાં તેઓએ આ અંગે ફરિયાદ કરી ન હતી.
શરીર દેખાડવાને બહાન ગંદા અડપલા કરતો-મહિલાનો આરોપ
બીજી કેટલીક મહિલાઓએ એવું કહ્યું કે તેઓ જ્યારે ક્લિનિકમાં જતી ત્યારે તેમણે કામુક નજરે જોતો હતો અને શરીર દેખાડવાને બહાન ગંદા અડપલા કરતો હતો.
ડોક્ટર મહિલા દર્દીઓને કહેતો, સેક્સ સારી દવા છે
2018માં 'MeToo' ચળવળથી પ્રેરિત એક મહિલાએ ડૉક્ટર પર આરોપો લગાવ્યા હતા, જેના પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. એક મહિલાએ આરોપ લગાવ્યો કે તેને શ્વાસની તકલીફ હતી, જેના પર ડોક્ટરે તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. તે જ સમયે, એક મહિલાએ આરોપ લગાવ્યો કે ડૉક્ટરે તેની બીમારીઓ વિશે કહ્યું કે 'સેક્સ એ શ્રેષ્ઠ દવા છે'. એક વ્યક્તિએ કોર્ટને કહ્યું કે તેણે સિંહને તેની ગર્ભવતી પત્ની સાથે ખોટું કામ કરતાં પકડ્યો હતો, ત્યારબાદ તેણે તેને મુક્કો મારવાની ધમકી આપી હતી.
'ભારતીય ડોકટરો તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે'
બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ ઈન્ડિયન ઓરિજિનના પ્રમુખ ડૉ. રમેશ મહેતાએ જણાવ્યું હતું કે, “ભારતીય મૂળના ડૉક્ટરને આવા જઘન્ય કૃત્યોમાં સંડોવાયેલા જોઈને દુઃખ થાય છે. ભારતીય ડોકટરો દર્દીઓની સંભાળમાં તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે.