વિસનગરમાં ગઇકાલે બાળકી મોતને ભેટયા બાદ હજુ પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોવાથી જાડી ચામડીના સત્તાધીશો સામે લોકોમાં રોષ ફેલાયો છે.
વિસનગર પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
હજુ પણ અનેક જગ્યાએ ગટરો ખુલ્લી
ગઇકાલે એક બાળકીએ ગુમાવ્યો હતો જીવ
મહેસાણા જિલ્લાના વિસનગરમાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં બે બાળકી પડી હતી. આ કરુણ ઘટનામાં ગઇકાલે એક બાળકનું જેમાં ગઇકાલે એક બાળકીનું મોત થયું હતું. આ બનાવને કલાકો વીતવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગતું નથી. તંત્ર જાણે ગંભીર અકસ્માતની રાહ જોયને બેઠું હોય તેવુ લાગી રહ્યું છે.આ મામલે VTV ન્યૂઝ દ્વારા રીયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અનેક વિસ્તારોમાં મોતને આમંત્રણ આપતાં ગટરના ઢાંકણા ખૂલ્લા જોવા મળ્યા હતા. એટલે કે એક બાળકીના મોત પછી પણ સત્તાધીશોની આંખ ઉઘડી નથી. ત્યારે જોવું રહ્યું કે પાલીકા તંત્ર મોતને આમંત્રણ આપતી ખૂલ્લી ગટોરોને ક્યારે બંધ કરે છે. જોકે પ્રિમોન્સુન કામગીરીને લઇને પણ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગઇકાલની ઘટનામાં કંઇ ન શીખ્યું તંત્ર
વિસનગરના રસ્તાઓ પર ચાલતી વખતે સાવધાન રહેવું જરૂરી છે. ગઇકાલની દુર્ઘટના બાદ પણ વિસનગરમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા મોતનું મો ફાડીને ઊભા છે. જેને રીપેર કરવાની તંત્રને ફુરસદ નથી. આથી તંત્રની આ બેદરકારી લોકોને ભારે પડી શકે છે. વિસનગર પાલિકાના સત્તાધિશો બેદરકાર બન્યા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.ગઇકાલે ખુલ્લી ગટરમાં બે બાળકીઓ ફસાઇ હતી. જેના જીવ બચાવવા જતાં 75 વર્ષના વૃદ્ધ 15 ફૂટ સુધી ગટરમાં ગયા હતા. જેમાંથી વૃદ્ધે એક બાળકીને બચાવી લિધી હતી. આવી ઘટના બાદ પણ તંત્રને કામગીરીનું શૂરાતન ન ચડતા નફ્ફટ સત્તાધીસો સામે લોકો પણ રોષ ઠાલવી રહ્યા છે.