ઉનાળાના દિવસોમાં પીવાના આપણીની તીવ્ર તંગી ઉભી થવા પામી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ની પળોજણ વધુ ગમ્ભીર સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ભાવનગરના અવાણીયા ગામ નજીક રાજાશાહી સમયથી રહેતા મૂળ કચ્છથી આવેલા મુસ્લિમ પરિવારો કે જે વિચરતી જાતિના લોકો તારીખે ઓળખાય છે તે લોકો હાલ પીવાના પાણી અને માલઢોરને પાવા માટેના પાણીની કારમી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
ભાવનગરના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે. જો કે અન્ય શહેરોની સરખામણીમાં અહીં સમસ્યા ઓછી છે, ભાવનગરના ઘોઘા તાલુકાના અવાણીયા ગામ નજીક વર્ષોથી મૂળ કચ્છના અને કચ્છી મુસ્લિમ તરીકે ઓળખતા 100થી વધુ પરિવારો વસવાટ કરે છે. આ લોકો તેમની સાથે માલઢોરમાં ભેંસ અને ઉંટ પણ રાખે છે. આ પરિવારો અવાણીયા નજીક આવેલાએક તળાવના કાંઠે વસવાટ કરે છે, રાજાશાહી સમયથી રહેતા આ લોકો લાઈટ તેમજ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ લોકો ઘાસના ઝુંપડા બનાવીને વસવાટ કરે છે. આ લોકોના પરિવારના પુરુષો આસપાસની ફેક્ટરીમાં નોકરી કરે છે અથવા તો વાહન ચલાવવાનો ધંધો કરે છે. આ પરિવારો ઉનાળાના દિવસોમાં પીવાના અને માલઢોરને પાવા માટેના પાણીની સમસ્યાથી ત્રસ્ત થઇ ગયા છે. આ પરિવારો મોટાભાગે રસોઈમાં ખીચડી બનાવે છે, પરંતુ હાલ તળાવમાં પાણીના હોઈ બાજુમાં એક વીરડો બનાવી તેમાંથી પાણી મેળવે છે, પરંતુ આ પાણી ખારાશ વાળું હોવાથી તમને રસોઈ બનાવવામાં મુશ્કેલી પડે છે. અહીં પીવા માટેનું પાણી મેળવવા બહેનોને ખુલ્લા દરિયાઈ વિસ્તારમાં બે થી ચાર કિલોમીટર દૂર પાણી મેળવવા માટે જવું પડે છે.
ભાવનગરથી માત્ર 15 કિલોમીટર દૂર વિસ્તારમાં આ પરિવારો રહે છે, પરંતુ તેમને પીવાના પાણીની સમસ્યાનો ભોગ બનવું પડે છે બાજુમાં મનપા દ્વારા એક તળાવ બનાવવમાં આવ્યું છે, પરંતુ અહીં ગત વર્ષે ઓછા વરસાદના કારણે પાણીના સન્ગ્રહના થવાથી આ તળાવ આજે ખાલીખમ છે અને સૂકાંભઠ જેવું બની ગયું છે આ પરિવારના લોકોનું કહેવું છે કે, અમારે પીવામાટે પાણી વેચાતું લેવું પડે છે અને માલઢોર માટે વીરડા માંથી પાણી લાવીએ છીએ પણ તે ક્ષાર યુક્ત હોઈ પશુ આ પિતા નથી આથી સરકરે અમારી માટે પાણી વ્યવસ્થા કરવી જોઈએ.
ભાવનગરના દરિયાય કાંઠા નજીક ના વિસ્તારમાં અવાણીયા ગામ આવેલું છે અને અહીં આમ પણ પાણી ક્ષારયુક્ત છે અને અન્ય લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે સરકારે આ ગામના લોકોને પાણી મળે તે માટે યોગ્ય આયોજન કરવું જરુર્રી છે.