દેશમાં રવિવારે IndiGoની 900 ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી જેને કારણે પ્રવાસીઓને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
દેશમાં IndiGoની 900 ફ્લાઈટ્સ ખોટવાઈ
ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી ગયા
લાખો પ્રવાસીઓ અટવાયા
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ખુલાસો માગ્યો
શનિવારે પણ ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી
રવિવારે એરલાઈન્સ કંપની IndiGoની ઘણી ફ્લાઈટ્સ વિલંબમાં મૂકાઈ હતી. ક્રૂ મેમ્બર્સ ન આવતા ઘણી ફ્લાઈટ્સ ટાઈમસર ઉપડી શકી નહોતી આને કારણે પ્રવાસીઓને મોટી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.
Several IndiGo flights across the country delayed after the non-availability of crew members. pic.twitter.com/8km8evAQY1
Directorate General of Civil Aviation (DGCA) has taken strong cognizance against IndiGo & sought a clarification/ explanation behind the massive flight delays nationwide: DGCA officials to ANI
ક્રૂ મેમ્બર્સ ન મળ્યાં
ક્રૂ મેમ્બર્સ સામૂહિક રજા પર ઉતરી જતા ફ્લાઈટ્સ ખોરવાઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય એક્શનમાં, એરલાઈન્સ કંપની પાસેથી ખુલાસો માગ્યો
આ ઘટના બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હરકતમાં આવ્યું હતું અને કંપની પાસેથી ખુલાસો માગ્યો હતો.
ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે
સસ્તા ભાડામાં હવાઈ મુસાફરી કરાવતી ઈન્ડીગો દેશમાં દરરોજ 1600 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. આ ઘટનાને કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
શનિવારે પણ ઘણી ફ્લાઈટ અટવાઈ હતી
શનિવારે પણ ઈન્ડીગોની ઘણી ફ્લાઈટ્સ અટવાઈ હતી તે વખતે પણ ઘણો સ્ટાફ ડ્યુટી પર હાજર થયો નહોતો આને કરાણે ઘણી ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી નહોતી અને લાખો પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું