વરસાદી પાણી ભરાતા અકસ્માતોની ઘટના વધી છે. આ સાથે વાહનચાલકોને ફેક્ચર થવાની અનેક ઘટનાઓ સામે આવી, રવિવારથી સોમવાર સુધી 110 લોકોને સોલા સિવિલ લવાયા
ભારે વરસાદ બાદ અમદાવાદમાં અકસ્માતો વધ્યા
રવિવારથી સોમવાર સુધી 110 લોકોને સોલા સિવિલ લવાયા
ગંભીર ઈજાગ્રસ્ત 15 વાહનચાલકોને દાખલ કરાયા
અમદાવાદમાં ભારે વરસાદને કારણે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદી પાણી ભરાતા અકસ્માતોની ઘટના વધી છે. આ સાથે વાહનચાલકોને ફેક્ચર થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. વિગતો મુજબ રવિવારથી સોમવાર સુધી 110 લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
રવિવારથી સોમવાર સુધી 110 ઇજાગ્રસ્તોની સારવાર
અમદાવાદમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રવિવારે ભારે વરસાદ આવ્યા બાદરવિવારથી સોમવાર સુધી 110 ઇજાગ્રસ્તોને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ગંભીર ઈજાગ્રસ્ત 15 વાહનચાલકોને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થયેલા 4 દર્દીને હોસ્પિટલમાં લવાયા છે.
અસલાલીમાં 19 વર્ષના યુવકનું વીજ કરંટ લાગતા મૃત્યુ
અમદાવાદમાં ભારે વરસાદ બાદ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમ્યાન આજે સવારે અસલાલીમાં 19 વર્ષના યુવકનું વીજ કરંટ લાગતા મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ 19 વર્ષના યુવકેને વીજ કરંટ લગતા સોલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન
અમદાવાદમાં ભારે વરસાદને કારણે મોટું નુકશાન થયું છે. આ તરફ શહેરના ધરણીધરના ટેમ્પલ એવન્યુના બેઝમેન્ટમાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયાના 36 કલાક પછી પણ પાણી યથાવત રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ તરફ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, 50 ફોન કર્યા પરંતુ 36 કલાકથી કોઈ આવ્યું નથી. ઘરમાં લાઇટ પણ નથી. અમદાવાદના રવિવારે આવેલા ભારે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જોકે વરસાદ બંધ થયાના 36 કલાક પછી પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે. શહેરના ધરણીધરના ટેમ્પલ એવન્યુના બેઝમેન્ટમાં પાણી યથાવત હોવાથી તંત્ર તરફથી મદદ મહી મળતા હવે સ્થાનિકો જાતે જ પાણીનો નિકાલ કરી રહ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદને કારણે ભારે નુકશાની થઈ છે. ભારે વરસાદ આવ્યાને 36 કલાક પછી પણ પાણી યથાવત જોવા મળી રહ્યું છે. આ તરફ વેજલપુરના શાંતિ સદન કોમ્પલેક્ષમાં દુકાનદારોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે, વરસાદમાં રોડ બેસી જતા બેઝમેન્ટ તૂટી પડ્યું હતું. દુકાન ચલાવી ગુજરાન કરતા દુકાનદારને લાખોનું નુકસાન થતાં એક મહિલા કેમેરા સામે રડી પડ્યા હતા. મહિલાએ રડતાં રડતાં ચુંટણી વખતે મત લેવા માટે તો દુકાને દુકાને ફરો છો પરંતુ આ નુકશાન અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ મદદ ન કરી હોવાનો આક્ષેપ કર્યો છે.