બુધવારે સવારે 11 વાગ્યે મોદી કેબિનેટની બેઠક થશે તેમાં DA અને DR રાહત મુદ્દે મોટી જાહેરાત થવાની સંભાવના છે.
બુધવારે સવારે 11 વાગ્યે મોદી કેબિનેટની મીટિંગ
DA અને DR રાહત મુદ્દે મોટી જાહેરાત થવાની સંભાવના
મંત્રીમંડળ વિસ્તરણના મુદ્દે પણ જાહેરાત થઈ શકે છે
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર DA અને DR રાહત મુદ્દે નિર્ણય લઈ શકે છે. બેઠકમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા અને મંત્રીમંડળ વિસ્તરણના મંથનની સાથે ડીએ પર પણ જાહેરાત થઈ શકે છે.
JCM મીટિંગ થઈ હતી
જેસીએમની નેશનલ કાઉન્સિલની 26 જુનના રોજ એક બેઠક થઈ હતી તેમાં સાતમા પગાર પંચ સહિત મોંઘવારી ભથ્થાની બાકીની રકમની ચુકવણી પર નિર્ણય કરાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓ તથા પેન્શર્સને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તાની ચુકવણી થઈ નથી. સપ્ટેમ્બરમાં કર્મચારીઓને આ રકમ મળવાનું નક્કી છે.
મોદી સરકાર તેમના મંત્રીમંડળનું આ અઠવાડિયે વિસ્તરણ કરી શકે છે.. એવી માહિતી સામે આવી છે કે 7 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદ મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ લેવાના છે.
એવુ માનવામાં આવી રહ્યું છે કે જે રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમા રાખીને મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે કયા રાજ્યથી કેટલા મંત્રીઓ મંત્રિમંડળમાં શામેલ થશે તે વિશે અમે આપને જણાવી દઈએ.