આશ્રમના સંચાલક ડો બીએમ ભારદ્વાજ અને તેમની પત્ની ડો. માધુરી ભારદ્વાજ હોમિયોપેથીના ડોક્ટર છે. લગભગ 7 વર્ષ પહેલા એક ભટકતી મહિલા તેમના આશ્રમમાં પહોંચી હતી અને તે માનસિક સમસ્યાઓથી પીડાઈ રહી હતી. જેને ડો ભારદ્વાજ દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી અને હાલમાં તે મહિલા પૂર્ણ રીતે સ્વસ્થ બની ગઈ છે.
ઝારખંડના પૂર્વ સીએમ મરાંડીની બહેન થઈ હતી લાપતા
રાજસ્થાનના ભરતપુરમાંથી મળી આવી પૂર્વ સીએમની બહેન
પરિવારને જાણકારી મળતા આશ્રમમાં આવીને તેડી ગયા
ઝારખંડમાં પૂર્વ સીએમ રહી ચૂકેલા બાબુલાલ મરાંડીને હાલમાં જ એક ચોંકાવનારી જાણકારી મળી હતી કે તેમની વર્ષો પહેલા વિખૂટી પડી ગયેલી બહેન રાજસ્થાનના ભરતપુર સ્થિત અપના ઘર આશ્રમમાં નિવાસ કરી રહી છે અને તેના વિઑશે ખુદ આશ્રમના સત્તાવાળાઓને પણ જાણકારી નથી, ઘણા લાંબા સમય બાદ આશ્રમમાં રહેવાવાળી બહેને જ આ વાતનો ખુલાસો કર્યો હતો અને જેન પછી આશ્રમ વાળા લોકોએ ઝારખંડના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને તેની જાણકારી આપી હતી.
મેસૂનીદેવી સાત વર્ષ પહેલા પરિવારથી વિખૂટી પડી હતી
આ પછી આ મહિલા તેના પરિવારની સાથે મળી શકી છે અને આ બહેનનું નામ મેસુની દેવી અને તે 2012માં તેના પરિવારથી વિખૂટી પડી ગઈ હતી. આ જાણકારી મળ્યા બાદ જો કે પરિવારવાળા મહિલાને તેમની સાથે આશ્રમથી ઘરે પરત લઇ ગયા હતા.
આશ્રમના સંચાલક ડોક્ટર દંપતીએ આ બાબતે પ્રસન્નતા વ્યકત કરી . આ મહિલાની પૂર્વ સીએમની બહેન હોવાની માહિતી મહિલાએ જ ડો ભારદ્વાજને આપી હતી જેના પછી તેમણે પૂર્વ સીએમ મરાંડી ને આ બાબતની માહિતી આપી હતી.
પૂર્વ સીએમએ આશ્રમ સંચાલકોનો આભાર માન્યો
આ વાત પર પૂર્વ સીએમ મરાંડીએ આશ્રમ સંચાલકોને વાત કરીને તેમનો આભાર માન્યો હતો, બહેનની દેખભાળ કરવા અને તેને સાચવવા બદલ તેમણે આશ્રમ વાળાઓનો આભાર માન્યો હતો. જેના પછી પૂર્વ સીએમ મરાંડીએ એમ પણ કહ્યું હતું કે તેઓ જલ્દીથી જ ભરતપુર જશે અને તેમની એવી ઈચ્છા છે કે આવો જ એક આશ્રમ ઝારખંડમાં પણ સ્થાપિત કરવામાં આવે.