- મોકા પર જ તુરંત સેનાની ટુકડીને મોકલવામાં આવી.
- સૈન્ય અધિકારી મહત્વની બેઠકમાં શામેલ થવા જઇ રહ્યાં હતાં.
- બે લેફ્ટિનેંટ કર્નલ અને પાંચ નિચલા ક્રમનાં અધિકારીઓ સવાર હતાં.
વેનેઝુએલામાં એક હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાંથી તેમાં સવાર સેનાનાં સાત અધિકારીઓનાં મોત નિપજ્યાં છે. કૌગર હેલીકોપ્ટર રાજધાનીમાં તડકે કરાકસ બહાર એક પહાડ સાથે ટકરાઇને ક્ષતિગ્રસ્ત થઇ ગયું. સશસ્ત્ર બળોએ એક નિવેદનમાં જણાવ્યું કે, હેલિકોપ્ટર કોજેદેસ રાજ્યનાં સૈન કાર્લોસ જઇ રહ્યાં હતાં. હેલિકોપ્ટરમાં બે લેફ્ટિનેંટ કર્નલ અને પાંચ નિચલા ક્રમનાં અધિકારી સવાર હતાં. નિવેદનમાં એ વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો કે હેલિકોપ્ટર રાષ્ટ્રપતિ પ્રતિનિધિમંડળનો હિસ્સો હતો કે નહીં.
તમને જણાવી દઇએ કે આ પહેલાં 15 માર્ચનાં રોજ પણ વેનેઝુએલામાં એક સેનાનું એક હેલિકોપ્ટર કોલંબિયા સીમા પાસે ગશ્ત દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું કે જેનાંથી 18 લોકોનાં મોત નિપજ્યાં હતાં. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ વેનેઝુએલાનાં રાષ્ટ્રપતિ હ્યુગો શાવેજે ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત પોતાનાં સાપ્તાહિક સંબોધનમાં દુર્ઘટના પર શોક જતાવતા કહ્યું હતું કે, મને થોડાંક સમય પહેલાં જ સેનાનાં એક હેલિકોપ્ટરની દુર્ઘટનાગ્રસ્ત થવાંની દુઃખદ સૂચના મળી, જે દુર્ઘટનામાં 18 લોકોનાં મોત થયાં. માર્યા ગયા લોકોમાં એક નાગરિક અને સેનાનાં અનેક અધિકારીઓ શામેલ હતાં.