BCCI ના CEO રાહુલ જૌહરી પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો મામલામાં સુપ્રીમ કોર્ટે વિનોદ રાયની અધ્યક્ષતામાં 3 સભ્યની એક કમિટીનું ગઠન કર્યું છે જે પૂરી ઘટનાની તપાસ કરશે.
આ કમિટીનું ગઠન ગુરુવારે કરવામાં આવ્યું જેમાં અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ જજ રાકેશ શર્મા દિલ્હી મહિલા આયોગની પૂર્વ ચેરપર્સન બરખા સિંહ અને સીબીઆઇના પૂર્વ ડાયરેક્ટર પીસી શર્મા સામેલ છે. જસ્ટિસ શર્મા આ કમિટીના ચેરમેન હશે. 3 સભ્યની આ કમિટીએ પેનલને પોતાના રિપોર્ટ 15 દિવસની અંદર સોંપવા કહ્યું છે. એક મહિલા દ્વારા રાહુલ જૌહરી પર લગાવેલા આ ગંભીર આરોપો બાદ કમિટીએ એમને આ મામલે જવાબ માંગ્યો હતો. એની પર જૌહરીએ 20 ઓક્ટોબરે પોતાના જવાબ આપતાં તમામ આરોપોને ફગાવી દીધા હતા.
BCCIના એક પૂર્વ પદાધિકારીએ કહ્યું 'સાત રાજ્ય એકમો સૌરાષ્ટ્ર તમિલાનડુ ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ગોવાએ ગુરુવારે પ્રશાસકોની સમિતિને અલગ અલગ પત્ર લખીને સીઇઓ રાહુલ જૌહરીને તપાસ થાય ત્યાં સુધી નિલંબિત કરવાની માંગ કરી છે.'
નોંધનીય છે કે એક અજ્ઞાત મહિલા લેખક દ્વારા યૌન શોષણના આરોપોમાં ફસાયલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરીને રજા પર મોકલી દીધા હતા.