પંચમહાલઃ પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 7 સભ્યો મૃત્યુ પામ્યા છે. આ કારમાં તમામ નાના બાળકો સવાર હતા. શિવરાજપુર નજીકના જબાન ગામ કારનું ટાયર ફાટતા કાર ખાઇમાં ખાબકી હતી.
જેને લઈને કારમાં સવાર બોડેલીના એક જ પરિવારના સાત સભ્યોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મૃતદેહોને જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેદ્રમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો કે પંચમહાલમાં અકસ્માત પરિવાર ગોઝારો સાબિત થયો છે. શિવરાજપુર નજીક મોડી રાત્રે કારનું ટાયર ફાટ્યું હતું જેને લઇને કાર નજીકના ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તાત્કાલિક પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જાતા તુરંત બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં કાર ડ્રાઇવર અને એક બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં એક જ પરિવારના 7 નાના બાળકોના મોત થતા અરેરાટી મચી જવા પામી હતી. આ પરિવાર પોતાના સંબંધીના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ શિવરાજપુર નજીક આ દુર્ઘટના બની હતી.
ખાડામાં પાણી ભરેલું હોવાના કારણે કારમાં સવાર સાત નાના-નાના બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના રોડની બાજુમાં ખાડી મોટા મોટા ખાડા હોવાના કારણે અકસમાતનો ભય રહેલો છે.