સ્કોટલેન્ડના શહેર ગ્લાસગોમાં સંગ્રહાલયોએ ચોરી કરવામાં આવેલી સાત કલાકૃતિઓને પાછી લાવવા માટે ભારત સરકારની સાથે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં છે.
ચોરાઈ ગયેલી સાત કલાકૃતિઓને ભારતને સોંપવામાં આવશે
બ્રિટને ભારત સરકારની સાથે એક કરાર પર સહી કરી
ભારતીય કલાકૃતિઓને ભારતમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
ભારતીય કલાકૃતિઓને ભારતમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો
સંગ્રહાલયોનું સંચાલન કરનારા ધર્માર્થ સંગઠન ગ્લાસગો લાઈફે આ વર્ષની શરૂઆતમાં આ કલાકૃતિઓને સોંપવાની પુષ્ટિ કરી હતી અને બ્રિટનમાં કાર્યકારી ભારતીય હાઈકમિશ્નર સુજીત ઘોષની ઉપસ્થિતિમાં કેલ્વિંગ્રોવ આર્ટ ગેલેરી અને સંગ્રહાલયમાં સ્વામિત્વના હસ્તાંતર સમારોહમાં આ નિર્ણયને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઘોષે કહ્યું, અમને ખુશી છે કે ગ્લાસગો લાઈફની સાથે અમારી ભાગીદારીના પરિણામસ્વરૂપે ગ્લાસગો સંગ્રહાલયમાંથી ભારતીય કલાકૃતિઓને ભારતમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, આ કલાકૃતિઓ આપણી સભ્યાગત વિરાસતનુ એક અભિન્ન અંગ છે અને હવે તેને ઘરે પાછુ મોકલવામાં આવશે. આપણે બધા એવા હિતધારકોના વખાણ કરીએ છીએ જેણે તેને શક્ય બનાવ્યું. વિશેષ રીતે ગ્લાસગો લાઈફ અને ગ્લાસગો સિટી કાઉન્સિલ.
બધી સાત કલાકૃતિઓને ગ્લાસગોના સંગ્રહાલયમાં ગિફ્ટમાં આપવામાં આવી હતી
19મી શતાબ્દી દરમ્યાન ઉત્તર ભારતના અલગ-અલગ રાજ્યોમાં મંદિરોમાંથી મોટાભાગની વસ્તુઓને હટાવી દેવામાં આવી હતી. જ્યારે એકને માલિક પાસેથી ચોરી બાદ ખરીદવામાં આવી હતી. ગ્લાસગો લાઈફ મુજબ બધી સાત કલાકૃતિઓને ગ્લાસગોના સંગ્રહાલયમાં ગિફ્ટમાં આપવામાં આવી હતી.મ્યુઝિયમ અને સંગ્રહના પ્રમુુખ ડંકન ડોર્નને કહ્યું, ભારતીય પુરાવશેષોના માલિકીના ટ્રાન્સફર ગ્લાસગો માટે એક મહત્વના પગલાનુ પ્રતિક છે. તેમણે કહ્યું, ભારતના ઉચ્ચ આયોગ અને બ્રિટિશ ઉચ્ચ આયોગને તેમના સહયોગ અને સમર્થન માટે શ્રેય આપવો જોઈએ. અમે આવી કલાકૃતિઓની સુરક્ષિત વાપસી માટે ભારતીય અધિકારીઓની સાથે પોતાનુ કામ ચાલુ રાખવા માટે તત્પર છે.