સવજી ધોળકીયા,જયંત વ્યાસ, રમીલાબેન ગામિતને પદ્મ શ્રી એવોર્ડ
26 જાન્યુઆરી પહેલાની પૂર્વ સંધ્યાએ એટલે કે 25 જાન્યુઆરીની સાંજે પદ્મ પુરસ્કારોનું સરકાર એલાન કરે છે ત્યારે આ વખતે સરકારે 128 લોકોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કર્યા છે. 4 લોકોને પદ્દવિભૂષણ અને 17 લોકોને પદ્મભૂષણ અને 107 લોકો પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. શહીદ બિપિન રાવત,દિવંગત નેતા કલ્યાણસિંહને મરણોપરાંત પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામા આવ્યા છે.
7 ગુજરાતીઓ પદ્મ પુરસ્કારથી સન્માનિત
વર્ષ 2022ના પદ્મ પુરસ્કારોમાં સાત ગુજરાતીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ધાર્મિક ગુરૂ, સમાજસેવક, લેખક અને સમાજસેવકો સન્માન કરવામાં આવ્યું છે. સ્વામી સચ્ચિદાનંદ પદ્મ ભૂષણ તો અન્ય 6 જેમાં ડો.લતા દેસાઈ, માલજી દેસાઈ, સવજી ધોળકીયા,જયંત વ્યાસ, રમીલાબેન ગામિત અને ખલીલ ધનતેજસ્વીને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સ્વામી સચ્ચિદાનંદ(ધાર્મિક ગુરૂ)
પદ્મ ભૂષણ
ડૉ લતા દેસાઈ(મેડિસીન)
પદ્મ શ્રી
માલજી દેસાઈ( સમાજ સેવા )
પદ્મ શ્રી
ખલીલ ધનતેજવી( લેખક)
પદ્મ શ્રી
સવજી ધોળકીયા( સામાજિક કાર્યકર)
પદ્મ શ્રી
જયંત વ્યાસ( સાયન્સ અને એન્જિ)
પદ્મ શ્રી
રમીલાબેન ગામિત(સામાજિક કાર્યકર)
પદ્મ શ્રી
કોણ છે સ્વામી સચ્ચિદાનંદ?
સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક
જન્મ 22 એપ્રિલ, 1932 ઉત્તર ગુજરાતના મોટી ચાંદુર ગામ