સારી હેલ્થ અને યોગ્ય ખાનપાનના કારણે તમે હેલ્ધી અને ફિટ રહી શકો છો તે આપણે સૌ જાણીએ છીએ. આયુર્વેદ અનુસાર સવારમાં તલ ચાવી લેવાથી અનેક લાભ મળે છે. જાણો વિગતે.
સવારમાં ઉઠતા જ ખાઈ લો તલ
પેટ રહેશે તંદુરસ્ત અને દાંત બનશે મજબૂત
આયુર્વેદમાં તલ ખાવાના જણાવાયા છે અનેક ફાયદા
કાળા કે સફેદ કોઈ પણ પ્રકારના તલનું સેવન જો સવારના સમયે કરવામાં આવે તો અનેક ફાયદા મળે છે. તલ ખાસ કરીને મેટાબોલિઝમને વધારે છે અને તેના સેવનથી શરીર ફિટ રહે છે. આયુર્વેદ અનુસાર સવારના સમયે શેકેલા તલ ખાવાથી પેટ સાફ રહે છે અને સાથે જ તેને ચાવવાથી દાંત અને પેઢા મજબૂત બને છે.
તલ દાંત માટે કરે છે ફાયદો
દાંત માટે બ્રશ કરવાનું જ પૂરતુ હોતું નથી. દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે અન્ય કેટલીક કસરતો પણ જરૂરી છે. ભોજનમાં કેલ્શિયમયુક્ત ચીજો ખાવાથી પણ દાંત અને પેઢાને મજબૂતી મળે છે. સવારના સમયે શેકેલા તલને ચાવી લીધા બાદ તમે સવારમાં ફક્ત કોરા ટૂથબ્રશથી બ્રશ કરો. એટલે કે ટૂથપેસ્ટ કે ટૂથ પાવડર જેવી ચીજોનો ઉપયોગ ન કરો. તલમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંત અને પેઢાની આસપાસના હાડકાને સુરક્ષિત રાખે છે, તે ટૂથ પેનલમાં જામેલી ગંદગીને હટાવવામાં તમારી સરળતાથી મદદ કરે છે.
આ સિવાય તલ ખાવાથી અન્ય ફાયદા પણ થાય છે
સવારના સમયે શેકેલા કાળા કે સફેદ તલને ખાવાથી તમારું લિવર અને પેટ સારું રહે છે. કબજિયાતની સમસ્યાથી તમને કાયમ માટે રાહત મળી શકે છે. આ સિવાય તમારુ પાચનતંત્ર પણ સારું રહે છે. ઓરલ હેલ્થ માટે આ એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. તલને ચાવવાથી દાંત અને પેઢાને માટે નહીં પણ પાચનતંત્ર, અન્ય અંગોને માટે પણ લાભદાયી છે.
આયુર્વેદમાં તલને એક ચમત્કારિક બીજ માનવામાં આવે છે. તલ હાડકાં, દાંત, વાળને મજબૂત કરવામાં મદદ કરે છે. આ કબજિયાતમાં પણ ફાયદો કરે છે. તલ સૂકી ખાંસીમાં પણ રાહત આપે છે. તલની પ્રકૃતિ ગરમ હોય છે માટે શિયાળામાં તેનું સેવન લાભદાયી માનવામાં આવે છે. તો તમે પણ આજથી આ રીતે સવારમાં ઉઠતાં જ શેકેલા તલનું સેવન કરો અને સ્વસ્થ રહો.