સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (સીઆઈઆઈ)ને રવિવાકે કોરોના રસી પરિક્ષણમાં સામેલ એક વોલેન્ટિયરને લઈને એક નિવેદન જારી કર્યુ હતુ. જેમાં કહેવામાં આવ્યું છે કે રસીના પરિક્ષણ અને વોલેન્ટિયરની મેડિકલ સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. હકિકતમાં પરિક્ષણમાં સામેલ ઉમેદવારનું કહેવું છે કે આ પરિક્ષણ દરમિયાન તે ગંભીર રુપે બિમાર પડી ગયો છે. સીઆઈઆઈ ઓક્સફોર્ડ યુનિ અને એસ્ટ્રાજેનકાની રસીનું પરિક્ષણ કરી રહી છે.
સમસ્યાઓ માટે ખોટા આરોપો મુકી રહ્યો છે ઉમેદવાર
ઉમેદવાર પાસે 100 કરોડની માનહાનીનો દાવો પણ કરી શકે છે
ઉમેદવારે પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે
સમસ્યાઓ માટે ખોટા આરોપો મુકી રહ્યો છે ઉમેદવાર
સીઆઈઆઈએ ઉમેદરવારના પરિવારજનો દ્વારા મોકલવામાં આવેલી કાયદેસરની નોટિસમાં કંપની ઉપર આરોપને દુર્ભાગ્યપૂર્ણ અને ખોટા ગણાવ્યા છે. સીઆઈઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને ઉમેદવારની સ્થિતિને લઈને ચિંતા હતી પરંતુ તેઓ રસીના પરિક્ષણ પર પોતાની મેડિકલ સમસ્યાઓ માટે ખોટા આરોપો મુકી રહ્યો છે.
ઉમેદવાર પાસે 100 કરોડની માનહાનીનો દાવો પણ કરી શકે છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે મેડિકલ ટીમે પહેલા જ ઉમેદવારને આ વાતની જાણકારી આપી હતી કે તેની મેડિકલ સમસ્યાને રસી પરિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. કંપનીએ આરોપ લગાવ્યો છે કે એમ છતાં ઉમેદવારે સાર્વજનિક જઈને નિવેદન આપવું પૈસા પડાવવા માટે હતુ. એમાં કહેવામાં આવ્યું છે કે કંપનીની છબી ખરડાવવા માટે તે ઉમેદવાર પાસે 100 કરોડની માનહાનીનો દાવો પણ કરી શકે છે.
ઉમેદવારે પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે
ઉલ્લેખનીય છે કે ચેન્નઈમાં કોવિડશિલ્ડ વેક્સિનના ટ્રાયલમાં ભાગ લેનાર એક વ્યક્તિએ સાઈડઈફેક્ટ્ સામે આવ્યાનો કર્યો દાવો, વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.