સીરમ ઈન્સ્ટિટ્યૂટે ઓગસ્ટના અંત સુધી દર મહિને 10 કરોડ કોવિશિલ્ડનું ઉત્પાદન કરવાની અને ભારત બાયોટેકે દર મહિને 7.8 કરોડ કોવેક્સીનના ઉત્પાદનની તૈયારી શરૂ કરી છે.
દેશમાં કોરોના સંક્રમણ યથાવત
સીરમ ઈન્સ્ટિટ્યૂટ દર મહિને તૈયાર કરશે 10 કરોડ કોવિશિલ્ડના ડોઝ
ભારત બાયોટેકે દર મહિને 7.8 કરોડ કોવેક્સીનનું ઉત્પાદન
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અનેક રાજ્યોમાં કોવિડ વેક્સીનની અછતની ફરિયાદ આવી રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ સમયે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ અને ભારત બાયોટેકે પોતાની વેક્સીન ઉત્પાદનના રિપોર્ટને કેન્દ્ર સરકારને સોંપ્યો છે. જેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓગસ્ટના અંત સુધી કે નવા મહિનાથી દર મહિને 10 કરોડ કોવિશિલ્ડનું ઉત્પાદન કરશે. તો ભારત બાયોટેક દર મહિને 7.8 કરોડ કોવેક્સીનનું ઉત્પાદન કરશે.
સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી મંગાવાઈ માહિતિઃ સૂત્ર
સૂત્રોના અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી બંને ફર્મ પાસે જૂન, જુલાઈ અને ઓગસ્ટ તથા સપ્ટેમ્બરમાં થનારા ઉત્પાદનને લઈને જાણકારી માંગવામાં આવી હતી. તેના જવાબમાં બંને કંપનીઓએ સરકારને વેક્સીન ઉત્પાદન વધારવાને લઈને જાણકારી આપી હતી.
જાણો બંને કંપનીઓએ શું કહ્યું
ભારત બાયોટેકના નિર્દેશક ડો. વી. કૃષ્ણ મોહને સરકારને જાણકારી આપી છે કે કોવેક્સીનનું ઉત્પાદન જુલાઈમાં 3.32 કરોડ અને ઓગસ્ટમાં 7.82 કરોડ થશે આ સપ્ટેમ્બરમાં પણ કાયમ રહેશે. આ રીતે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં સરકાર અને નિયામકના નિર્દેશક પ્રકાશ કુમાર સિંહે જાણકારી આપી કે કોવિશિલ્ડનું ઉત્પાદન ઓગસ્ટમાં 10 કરોડ ડોઝ સુધી વધારી દેવાશે. સપ્ટેમ્બરમાં તેને આ જ રીતે વધારા સાથે ચાલુ રખાશે. તેઓએ સ્વાસ્થ્ય મંત્રાલયને કહ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે અમે આપેલા સમયમાં વેક્સીનનું ઉત્પાદન કરાશે. આ સિવાય દરેક સંસાધનનો ઉપયોગ કરવાની કોશિશ કરીશું અને સાથે કોવિશીલ્ડના ઉત્પાદનની ક્ષમતા પણ વધારીશું. જૂન અને જુલાઈના ઉત્પાદનમાં થોડા પ્રમાણમાં વધારો થઈ શકે છે.
ભારતમાં આવી છે કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરોના સંક્રમણથી એક દિવસમાં સૌથી વધુ 4205 લોકોના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 2,54,197 થયો છે તો સાથે જ 3,48,421 નવા કેસ આવતા દેશમાં સંક્રમિતની સંખ્યા 2,33,40,938 પહોંચી છે.